હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીની બે સોસાયટી વચ્ચે પાણી માટે માથાકૂટ: પૂર્વ કાઉન્સિલરને માર માર્યો !


SHARE











મોરબીની બે સોસાયટી વચ્ચે પાણી માટે માથાકૂટ: પૂર્વ કાઉન્સિલરને માર માર્યો !

મોરબીના મુનનગર પાસે આવેલ ઋષભ પાર્ક સોસાયટી અને તેમની સામેના ભાગમાં આવેલ સોસાયટી વચ્ચે પાણી પ્રશ્ને માથાકૂટ થઈ હતી અને ઋષભ પાર્ક સોસાયટીને પાણી આપવા માટે બીજી સોસાયટીના લોકો અવરોધ કરી રહયા હતા અને પાણીનો વાલ્વ રીપેર ન કરવા દેવા માથાકૂટ કરી હતી અને પાલિકાના પૂર્વ કાઉન્સિલરને માર મારતા પોલીસને પણ સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી અને બન્ને સોસાયટીના લોકો સામસામે આવી ગયા હતા

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મૂનનગર ચોક પાસે આવેલ ઋષભ પાર્ક સોસાયટીની મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો હતો અને છેલ્લા બે વર્ષથી પાણી માટે તો હેરાન હોવાની રરજૂઆત કરી હતી જો કે તે સોસાયટીની સામેની ધર્મભૂમિ સોસાયટી વાળાની આડોડાઈના લીધે તેઓ પાણી માટે હેરાન છે તેવો આક્ષેપ કર્યો હતો. અને છેલ્લા દસ દિવસથી પાણીનું એક ટીપું આવ્યું ન હતું જેથી કરીને મહિલાની રજૂઆતને ધ્યાને લઈને પાલિકાએ સોસાયટીમાં આવેલ પાણીનો વાલ્વ રીપેર કરવા ખોદકામ શરૂ કર્યું હતું ત્યારે સામેની સોસાયટીની મહિલાઓ બળજબરીને કામ બંધ કરાવ્યું હતું. ત્યારે ઋષભ પાર્ક સોસાયટીની મહિલાઓ પૂર્વ કાઉન્સિલર સાથે ત્યાં ગઈ હતી ત્યારે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને હાથ ચાલાકી પણ થઈ હતી અને પૂર્વ કાઉન્સિલરને માર મારતા બન્ને સોસાયટીના લોકો સામસામે આવી ગયા હતા જેથી આ અંગેની પોલીસને જાણ કરી હતી માટે પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને સમજવીને લોકોના ટોળાને વિખેરી નાખ્યું હતું અને મામલો શાંત પડ્યો હતો.






Latest News