મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા યોજાયેલ પદયાત્રા-મહા પંચાયતમાં શિક્ષકો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા


SHARE











મોરબીમાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા યોજાયેલ પદયાત્રા-મહા પંચાયતમાં શિક્ષકો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા

ગુજરાત રાજ્યના શિક્ષકો સહિતના અન્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના યોજના પુન: લાગુ કરવા સહિતના અનેક પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છે. તો પણ સરકાર મચક આપી રહી નથી ત્યારે આજે મોરબીમાં ચાર જિલ્લા શિક્ષકો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પદયાત્રામાં જોડાયા હતા તેમજ મહા પંચાયત યોજાઇ હતી જેમાં પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવે તેના માટેની બુલંદ માંગ કરવામાં આવી છે અને સરકાર તેઓની માંગણી નહીં સંતોષે તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય સંઘ દ્વારા જે આદેશ કરવામાં આવશે તે મુજબ લડત અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના યોજના માટે શિક્ષકો સહિતના કર્મચારીઓ લડત કરી રહ્યા છે અને છેલ્લે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા બનાવેલી પાંચ મંત્રીઓની કમિટીએ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર પણ કરેલ હતો છતાં આજદિન સુધી ઠરાવ બહાર પાડેલ ન હોય. બીજી ઓક્ટોબરના ગાંધીજયંતીના રોજ સમગ્ર રાજ્યમાં મૌન રેલી અને ધરણાનું આયોજન કરેલ હતું. ત્યારબાદ જિલ્લા સંગઠન દ્વારા તમામ સાંસદધારાસભ્યોચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ભાજપ સંગઠનના પ્રમુખોને આવેદનો આપવાના કાર્યક્રમો યોજાયો અને ઘણા બધા રાજનેતાઓએ કર્મચારીઓના સમર્થનમાં પ્રધાનમંત્રીમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ભલામણ પત્રો સમર્થન પત્રો પણ લખી આપેલ છતાં આજદિન સુધી સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી થયેલ નથી

જેથી કરીને શનિવારે મોરબી જિલ્લામાં પણ પદયાત્રા અને મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છરાજકોટસુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના શિક્ષકો સહિતના અન્ય તમામ વિભાગના કર્મચારીઓ ખુબજ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા બસ સ્ટેન્ડની બાજુમાં સરદારબાગથી લઈને કેસર બાગ સુધી પદયાત્રા યોજાઇ હતી ત્યારે બાદ મોરબીના વેજીટેબલ રોડે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે મહા પંચાયત યોજાઇ હતી જેમાં અન્ય રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવેલ છે તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં કેમ નહિ તે સહિતના સવાલો ઊભા કરીને Only OPS OPS ના નારા શિક્ષકો સહિતના કર્મચારીઓએ લગાવ્યા હતા અને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવામાં આવે તે સહિતના પ્રશ્નો ઉકેવામાં આવે તેવી બુલંદ માંગ કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભાઇ વડસોલા સહિતના સ્થાનીક કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News