મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામના આધેડ પોતાની અને પત્નીની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતાં મોત


SHARE







મોરબીના વાવડી ગામના આધેડ પોતાની અને પત્નીની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતાં મોત

મોરબી નજીક નાની વાવડી ગામે રહેતા વૃદ્ધે પોતાની અને પત્નીની બીમારીને લીધે કંટાળી જઇને ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેમનું મોત નીપજયું હતું માટે તેમના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના નાની વાવડી ગામે કબીર આશ્રમ પાસે રહેતા સુરેશભાઇ ધનજીભાઈ સુરાણી (ઉમર ૫૮) એ પોતાના પુત્રના જાણ કર્યા બાદ પોતાની જાતે કબીર આશ્રમ પાસે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બાદમાં તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જેથી આપઘાતના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ મથકના એન.એસ.મેસવાણીયાએ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસ દરમિયાન ખુલ્યુ હતું કે સુરેશભાઈ સુરાણીના પત્નીને માનસિક બીમારી હોય તેઓ પોતાની પત્નીને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને બાદમાં તેમના સંબંધી મોરબી રહેતા હોય તેમના પત્નીની સાથે ત્યાં ગયા હતા અને જમ્યા બાદ પોતે વાવડી જવા માટે નીકળી ગયા હતા અને વાવડી પહોંચવાના બદલે કબીર આશ્રમ પાસે રોકાઈને ત્યાંથી પોતાના પુત્રને પોતે જિંદગીથી કંટાળી ગયા છે માટે ઝેરી દવા પી લે છે તેમ જાણ કર્યા બાદ તેઓએ ઝેરી દવા પી લીધી હતી. મૃતક સુરેશભાઈ સુરાણીને પણ કિડનીની તકલીફ હોય અને પત્નીને પણ માનસિક બીમારી હોય બીમારીના કારણોસર જીવનથી કંટાળી ગયા હોવાના લીધે તેઓએ અંતિમ પગલું ભર્યુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા ગામે રાજપર ચોકડી પાસે બાઇક સ્લીપ થઇ જવાથી ઈજાગ્રસ્ત થયેલા જયેશભાઈ ડાયાભાઈ સિધ્ધપુરા (૪૪) રહે.વાણીયાવાડી શેરી નંબર-૪ રાજકોટ વાળાને ઇજાઓ થતાં તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા તેઓ રાજકોટથી બાઇક લઇને મોરબી આવી રહ્યા હતા ત્યારે શનાળા ચોકડીએ બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેથી ઇજાઓ થતાં જયેશભાઇને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ પર આવેલી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો સાજન રાજેશભાઈ સુરેલીયા નામનો ૨૮ વર્ષનો યુવાન શહેરના શનાળા રોડ સરદારબાગ પાસેથી જતો હતો ત્યાં તેને કોઈ અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતાં ઇજાગ્રસ્ત સાજન સુરેલીયાને પણ અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હોવાનું જણાવીને બંને બનાવોની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એન.એસ.મેસવાણીયા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News