મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી: ભાઈ અન્ય યુવક સાથે વાત કરતા જોઈ જતા સગીર બહેને ન કરવાનું કર્યુ


SHARE











મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકર અન્ય યુવાન સાથે અંધારામાં વાતો કરતી હતી ત્યારે તેનો ભાઈ તેને જોઈ ગયો હતો જેથી કરીને તેનો ભાઈ તેના માતા-પિતાને જાણ કરી દેશે તે ચિંતામાં તેણે ખાનપર ગામ નજીક જીઇબીના વીજ પોલ સાથે ચુંદડી બાંધીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં ધનજીભાઈ સવજીભાઈ કંઝારીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ સમસુભાઈ મીનામા જાતે આદિવાસી (૩૭) ની દીકરી દીપિકાબેન દિનેશભાઈ મીનામા જાતે આદિવાસી (૧૭) એ ખાનપર ગામની સીમમાં ગોકળભાઈ ડાયાભાઈ અમૃતિયાની વાડીના શેઢે જીઇબીના વિજ પોલ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીતેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવાની મૃતક સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ  મૃતક સગીરા વાડીથી ત્રણ ખેતર દૂર વિપુલ નામના છોકરા સાથે અંધારામાં વાતો કરતી હતી અને ત્યારે તે બંનેને તેનો ભાઈ રોહીત જોઈ ગયો હતો જેથી કરીને તે બંને અલગ અલગ ખેતરમાં ભાગી ગયા હતા અને સગીરાનો ભાઈ તેના માતા-પિતાને આ અંગે વાત કરશે તેવું મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવાર જણાવે છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News