મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલ્તાનપુર ગામના સગીર વયના પ્રેમીપંખીડાએ નાની મોલડી નજીક મંદિરના પટાંગણમાં અંતિમ પગલું ભર્યું


SHARE











માળીયા (મી)ના સુલ્તાનપુર ગામના સગીર વયના પ્રેમીપંખીડાએ નાની મોલડી નજીક મંદિરના પટાંગણમાં અંતિમ પગલું ભર્યું

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામના  વિશાલ લાભુભાઈ પાટડીયા અને તેની જ બાજુમાં રહેતી સપનાબેન મુન્નાભાઈ સીસણોદા  ગઈકાલથી ઘરેથી ગુમ થઈ ગયા હતા જેની પરિવારજનોએ શોધખોળ કરી રહ્યા હતા તેવામાં નાની મોલડી પોલીસ સ્ટેશનેથી સાગરી વયના યુવાન અને સગીરાના પરિવારને બનાવની જાણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી કરવાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ  ચોટીલાના ઝીંઝુડા ગામ પાસે આવેલા મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ ઝાડ ઉપર  પ્રેમી પંખીડાએ એક જ ચુંદડી વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જે અંગેની મંદિર પાસેથી પસાર થતા ગ્રામજનોને જાણ થતાં પોલીસને આ બનાવની જાણ કરી હતી ત્યારે બાદ પોલીસ ત્યાં આવી હતી અને મૃતક યુવક અને યુવતીની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી હતી અને મૃતક યુવાન વિશાલ લાભુભાઈ પાટડીયા (૨૦) અને સગીરા સપનાબેન મુન્નાભાઈ સીસણોદા (૧૬) હોવાનું સામે આવ્યું હતું અને તે બંને ગઈકાલે બાઈક લઈને પોતાના ગામેથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું હતું આ બનાવની પોલીસે મૃતક સગીર વયના પ્રેમીપંખીડાના પરિવારને જાણ કરી હતી જેથી તે લોકો જીંજુડા ગામે પહોંચ્યા હતા અને વધુમાં લોકોમાં થતી ચર્ચા મુજબ આ બંને આખો દિવસ ઝીંઝુડાની આજુબાજુ ફર્યા હતા અને ત્યાં આવેલ હિંગળાજ શક્તિપીઠ ધામે દર્શન પણ કર્યા હતા બાદમાં કોઈપણ કારણોસર બંને લોકોએ ઝાડ સાથે ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને મૃતક પ્રેમીપંખીડા પાસેથી એક ૫૦ રૂપિયાની ચલણી નોટ મળી છે જેમાં લખ્યું છે કે, “ છોકરાને હું લઈને આવી છું, છોકરો મને નથી લાવ્યોહાલ તો  નાની મોલડી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવહી કરેલ છે






Latest News