મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલ્તાનપુર ગામના સગીર વયના પ્રેમીપંખીડાએ નાની મોલડી નજીક મંદિરના પટાંગણમાં અંતિમ પગલું ભર્યું


SHARE











માળીયા (મી)ના સુલ્તાનપુર ગામના સગીર વયના પ્રેમીપંખીડાએ નાની મોલડી નજીક મંદિરના પટાંગણમાં અંતિમ પગલું ભર્યું

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામના  વિશાલ લાભુભાઈ પાટડીયા અને તેની જ બાજુમાં રહેતી સપનાબેન મુન્નાભાઈ સીસણોદા  ગઈકાલથી ઘરેથી ગુમ થઈ ગયા હતા જેની પરિવારજનોએ શોધખોળ કરી રહ્યા હતા તેવામાં નાની મોલડી પોલીસ સ્ટેશનેથી સાગરી વયના યુવાન અને સગીરાના પરિવારને બનાવની જાણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી કરવાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ  ચોટીલાના ઝીંઝુડા ગામ પાસે આવેલા મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ ઝાડ ઉપર  પ્રેમી પંખીડાએ એક જ ચુંદડી વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જે અંગેની મંદિર પાસેથી પસાર થતા ગ્રામજનોને જાણ થતાં પોલીસને આ બનાવની જાણ કરી હતી ત્યારે બાદ પોલીસ ત્યાં આવી હતી અને મૃતક યુવક અને યુવતીની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી હતી અને મૃતક યુવાન વિશાલ લાભુભાઈ પાટડીયા (૨૦) અને સગીરા સપનાબેન મુન્નાભાઈ સીસણોદા (૧૬) હોવાનું સામે આવ્યું હતું અને તે બંને ગઈકાલે બાઈક લઈને પોતાના ગામેથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું હતું આ બનાવની પોલીસે મૃતક સગીર વયના પ્રેમીપંખીડાના પરિવારને જાણ કરી હતી જેથી તે લોકો જીંજુડા ગામે પહોંચ્યા હતા અને વધુમાં લોકોમાં થતી ચર્ચા મુજબ આ બંને આખો દિવસ ઝીંઝુડાની આજુબાજુ ફર્યા હતા અને ત્યાં આવેલ હિંગળાજ શક્તિપીઠ ધામે દર્શન પણ કર્યા હતા બાદમાં કોઈપણ કારણોસર બંને લોકોએ ઝાડ સાથે ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને મૃતક પ્રેમીપંખીડા પાસેથી એક ૫૦ રૂપિયાની ચલણી નોટ મળી છે જેમાં લખ્યું છે કે, “ છોકરાને હું લઈને આવી છું, છોકરો મને નથી લાવ્યોહાલ તો  નાની મોલડી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવહી કરેલ છે




Latest News