મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે સર્વિસ રોડ ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે સર્વિસ રોડ ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસે સર્વિસ રોડ ઉપર વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં ઘવાયેલા સજનપર ગામના રબારી યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે આવેલ દરિયાલાલ હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં સર્વિસ રોડ ઉપર સર્જાયેલા વાહન અકસ્માતના બનાવની અંદર ટંકારા તાલુકાના સજનપર ગામના રહેવાસી હમીરભાઇ પરબતભાઈ રબારી નામના ૨૧ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં થયેલી જાણ ના પગલે હાલ તાલુકા પોલીસ મેથકના એમ.જે. કહાંગરા દ્વારા આ અકસ્માત બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રાધે હોટલના પાછળના ભાગે રહેતા પારૂલબેન લલીતભાઈ સાવરીયા નામની ૨૮ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના કાલિકા કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનવર હુસેનભાઇ માજોઠી નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાવળીયા પીર દરગાહ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે જાણ થતાં એ ડીવીઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાય છે.






Latest News