મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે સર્વિસ રોડ ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીના રફાળેશ્વર પાસે સર્વિસ રોડ ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસે સર્વિસ રોડ ઉપર વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં ઘવાયેલા સજનપર ગામના રબારી યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે આવેલ દરિયાલાલ હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં સર્વિસ રોડ ઉપર સર્જાયેલા વાહન અકસ્માતના બનાવની અંદર ટંકારા તાલુકાના સજનપર ગામના રહેવાસી હમીરભાઇ પરબતભાઈ રબારી નામના ૨૧ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં થયેલી જાણ ના પગલે હાલ તાલુકા પોલીસ મેથકના એમ.જે. કહાંગરા દ્વારા આ અકસ્માત બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રાધે હોટલના પાછળના ભાગે રહેતા પારૂલબેન લલીતભાઈ સાવરીયા નામની ૨૮ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના કાલિકા કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનવર હુસેનભાઇ માજોઠી નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાવળીયા પીર દરગાહ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે જાણ થતાં એ ડીવીઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાય છે.






Latest News