મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા પડી જવાથી ઇજા પામેલા આધેડનું મોત


SHARE







વાંકાનેરમાં અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા પડી જવાથી ઇજા પામેલા આધેડનું મોત

વાંકાનેરના દિવાનપરા રણજીતપરા વિસ્તારમાં ભારત ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા તેઓ પડી ગયા હતા અને તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને વાંકાનેરમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના દિવાનપરા રણજીતપરા વિસ્તારમાં ભારત ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા ભરતભાઈ નરસીભાઈ સોલંકી જાતે કોળી (૫૦) નામના આધેડ પોતાના ઘરે અગાસીમાં પગથીયા ચડતી વખતે પગે ઠેસ વાગતા પડી ગયા હતા જેથી કરીને તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેઓને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પરિવારજન નીતિનભાઈ અરવિંદભાઈ સોલંકી રહે. દિવાનપરા રણજીતપરા ભારત ઓઇલ મીલની પાછળ વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલાનું મોત

અમદાવાદમાં ઇન્ડિયા બુલ્સ સેન્ટમ સરસપુર ખાતે રહેતા હિરલબેન ભરતભાઈ ડાભી જાતે રજપૂત (૩૯) નામની મહિલા વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર પાસે હતી ત્યારે તેને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા સારવાર દરમિયાન ત્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની મોરબીની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે






Latest News