મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે થયેલ સગીરની હત્યાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીના શનાળા ગામે થયેલ સગીરની હત્યાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ

મોરબી નજીકના શકત શનાળા ગામે ધોકા-પાઇપથી એક જ પરિવારના ચાર લોકોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઇજા પામેલા સગીરનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો જો કે, પોલીસે અગાઉ ફરિયાદમાં નોંધાયેલા તમામ નવ આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા જો કે, ભોગ બનેલ પરિવાર દ્વારા અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જેથી પોલીસે એ દિશામાં વધુ તપાસ ચલાવીને હાલમાં એક મહિલા સહિત વધુ ચાર શખ્સોની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના શનાળા ગામે આવેલા ઇન્દિરાવાસ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીના બનાવનો ખાર રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ઇકો કારમાં ધોકા-પાઇપ સાથે આવેલા નવ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવલે હતો જે અંગે બાબુભાઈ આંબાભાઈ સોલંકી (ઉમર ૬૬) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલા સહિત કુલ મળીને નવ શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાયોટીંગ અને કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને જે તે સમયે નવેય આરોપીઓને પકડીને જેલ હવાલે કરેલ હતા જો કે, ત્યાર બાદ આ ઘટનામાં ઇજા પામેલ રાહુલ મહેશ સોલંકી (ઉમર ૧૭) નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.ભોગ બનેલ પરિવાર દ્વારા અન્ય લોકો પણ હુમલામાં સંડોવાયેલા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.જેના આધારે તપાસ ચલાવીને હાલમાં મર્ડરના આ ગુનામાં આરોપી તરીકે અજીતભાઇ ગોવિદભાઈ પ્રિયદર્શની (સોલંકી) (ઉમર ૩૮), મયુર પ્રેમજીભાઈ વાઘેલા (ઉંમર ૧૯), પ્રકાશ મનસુખભાઈ વાઘેલા (ઉંમર ૧૯) અને સોમીબેન મનસુખભાઈ વાઘેલા (ઉમર ૪૫) રહે.ઇન્દીરાવાસ શકત શનાળા તા.જી.મોરબી વાળાઓની ધરપકડ કરેલ છે.






Latest News