મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

સરકાર ખેડૂતોને પાણી, ખાતર, ટેકાના ભાવ વગેરેની સાથે વિવિધ સહાય અને સબસીડી આપે છે: કાંતિભાઈ અમૃતિયા


SHARE











સરકાર ખેડૂતોને પાણી, ખાતર, ટેકાના ભાવ વગેરેની સાથે વિવિધ સહાય અને સબસીડી આપે છે: કાંતિભાઈ અમૃતિયા

ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ અને તેમને વિવિધ યોજનાઓની માહિતી આપી યોજનાઓના લાભ હેઠળ સાંકળી લેવાના હેતુથી મોરબી જિલ્લામાં ૫ તાલુકા અને એક પિયતના નવા સોર્સ ખાતે એક ૬ જગ્યાઓએ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમનો મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શુભારંભ કરાવ્યો હતો.

ત્યારે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ ખેડૂતોની આવક ડબલ કરવા માટે પ્રયત્નશીલ છે. આપણે સૌએ એક વાત સ્વીકારવી જ પડશે કે ખેતી આબાદ તો દેશ આબાદ ત્યારે સરકાર દ્વારા ખેતી અને અને ખેડૂતોના કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓ થકી કામગીરી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે તમામ કેનાલો રિપેર થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં તેનું અમલીકરણ કરવામાં આવશે. સૌની યોજનાની જેમ આપણે મોરબી જિલ્લામાં સૌના તળાવ નામે એક નવી પહેલ કરવા જઈ રહ્યા છીએ. જે હેઠળ પ્રારંભના તબક્કે ૩૫ તળાવોને મચ્છુ -૨ મચ્છુ -૩ સહિતના ડેમો સાથે જોડી સિંચાઈ માટે પાણી પુરૂ પાડવા માટે પ્રયાસો કરવામાં આવશે. સરકાર ખેડૂતોને પાણી, ખાતર ટેકાના ભાવ બજાર વગેરેની સાથે વિવિધ સહાય અને સબસીડી આપે છે. વધુમાં ધારાસભ્યશ્રીએ સારા સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ ખેત પ્રણાલી અને ખોરાક પદ્ધતિ અપનાવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી મળી રહે ખેડૂતો આ યોજના માટે અરજી કરી લાભ લે તે માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર ખેડૂત તરીકે ડાંગર લાખાભાઈ તેમજ કણજારિયા હરિભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું તથા રોતાવેટર માટેના લાભાર્થીને પૂર્વ મંજૂરી હુકમ તેમજ ટ્રેકટરના લાભાર્થીને પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેકટર જી.ટી. પંડ્યા, સહકારી અગ્રણી અને મોરબી માર્કેટિંગ યાર્ડના માજી ચેરમેન મગનભાઈ વડાવિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એચ. ડાંગર, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ સહિતના હાજર રહ્યા હતા





Latest News