ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમા ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હોવાનું ખુલ્યું..!


SHARE











મોરબીમા ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હોવાનું ખુલ્યું..!

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે ટેસા સેનેટરી નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ થાન તાલુકાના વીજળીયા ગામના વતની રેખાબેન બાબુભાઈ ગાંગિયા નામની ૪૧ વર્ષીય મહિલા ગુમ થઈ ગઈ હતી અને પોતે પોતાના ભાઈના ઘરે જાય છે તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થયેલી મહિલા પરત ન ફરતા આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ થવા પામી હતી. દરમ્યાનમાં તપાસ અધિકારી પીઆઈ કે.એ.વાળા તેમજ હેડ કોન્સ્ટેબલ જે.એમ.જાડેજા પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુમ થયેલા રેખાબેન હાલ મળી આવ્યા છે અને તેઓને મોરબીના ખાખરેચી ગામે રહેતા મનસુખ ઉર્ફે સુનિલ સુરેશભાઈ ઉચાસ્ણા જાતે કોળી (૨૮) ની સાથે પ્રેમ સંબંધ હોય તેમને ત્યાં ચાલ્યા ગયા હતા તેમ તેણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે.

રાજકોટ ખસેડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા હનુમાન મંદિર નજીકથી આશરે પચાસેક વર્ષના અજાણ્યા પુરુષને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ હાલ તેઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.વાહન અકસ્માત બનાવમાં તેઓને ઈજા પહોંચી છે તેમ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા પાસેથી જાણવા મળેલ છે અને તેઓ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

ટીકળા ખાઈ જતા સારવારમાં

મોરબી ખાતે રહેતા જાવેદ રસુલભાઈ જાંગીયા નામના ૨૫ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગાંધી ચોક પાસે દવાના ટીકડા ખાઈ લીધા હતા જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.






Latest News