મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણે કેનાલમાં રવી સીઝનમાં વાવેતર કરવા પાણી આપો:કે.ડી.બાવરવા


SHARE











મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણે કેનાલમાં રવી સીઝનમાં વાવેતર કરવા પાણી આપો:કે.ડી.બાવરવા

મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલી છે. માળીયા બ્રાન્ચ, ધ્રાંગધ્રા બ્રાન્ચ, અને મોરબી બ્રાન્ચ.હાલમાં ખેડૂતો દ્વારા રવી પાક માટે વાવેતર કરવામા આવી રહ્યું છે.પરંતુ જીરું, ઘઉં, રાયડો વગેરે પાકને વાવવાનો સમય થઈ ગયો છે. જો સમયસર વાવેતર થાય તો ખેડૂતોને સારો પાક પાકવાની શક્યતા વધી જાય છે. અને જો મોડું વાવેતર થાય તો પાક ૫૦ ટકા થાય છે.

હાલમાં ઉપર મુજબની એક પણ બ્રાન્ચ માં ખેડૂતોને વાવેતર કરવા માટે પાણી નથી મળી રહ્યું. અને આ પ્રશ્ન લગભગ દરેક વર્ષે થાય છે.ચૂંટાયેલા આગેવાનો ફકત નાટકો કરે છે. અને આ પ્રશ્નનો કોઈ કાયમી નિકાલ થતો નથી.ખેડૂતો મોંઘા ભાવના બિયારણ, લાઈનમાં ઉભા રહીને મેળવેલું ખાતરનો ખર્ચ કરે છે.પણ પાણી ન મળવાથી લાચાર થઇ બેશી રહ્યો છે.જેથી દરેક ખેડૂતો વતી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કે.ડી.બાવરવા દ્વારા રાજયના મુખ્મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને માગણી કરેલ છે કે આ ખેડૂતો ને તાત્કાલિક પાણી આપવામાં આવે જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે .તો આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા વિનંતી છે.






Latest News