મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણે કેનાલમાં રવી સીઝનમાં વાવેતર કરવા પાણી આપો:કે.ડી.બાવરવા


SHARE











મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણે કેનાલમાં રવી સીઝનમાં વાવેતર કરવા પાણી આપો:કે.ડી.બાવરવા

મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલી છે. માળીયા બ્રાન્ચ, ધ્રાંગધ્રા બ્રાન્ચ, અને મોરબી બ્રાન્ચ.હાલમાં ખેડૂતો દ્વારા રવી પાક માટે વાવેતર કરવામા આવી રહ્યું છે.પરંતુ જીરું, ઘઉં, રાયડો વગેરે પાકને વાવવાનો સમય થઈ ગયો છે. જો સમયસર વાવેતર થાય તો ખેડૂતોને સારો પાક પાકવાની શક્યતા વધી જાય છે. અને જો મોડું વાવેતર થાય તો પાક ૫૦ ટકા થાય છે.

હાલમાં ઉપર મુજબની એક પણ બ્રાન્ચ માં ખેડૂતોને વાવેતર કરવા માટે પાણી નથી મળી રહ્યું. અને આ પ્રશ્ન લગભગ દરેક વર્ષે થાય છે.ચૂંટાયેલા આગેવાનો ફકત નાટકો કરે છે. અને આ પ્રશ્નનો કોઈ કાયમી નિકાલ થતો નથી.ખેડૂતો મોંઘા ભાવના બિયારણ, લાઈનમાં ઉભા રહીને મેળવેલું ખાતરનો ખર્ચ કરે છે.પણ પાણી ન મળવાથી લાચાર થઇ બેશી રહ્યો છે.જેથી દરેક ખેડૂતો વતી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કે.ડી.બાવરવા દ્વારા રાજયના મુખ્મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને માગણી કરેલ છે કે આ ખેડૂતો ને તાત્કાલિક પાણી આપવામાં આવે જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે .તો આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા વિનંતી છે.






Latest News