મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બ્રિજેશ મેરજાને ઘોડે ચડાવીને વાજતે ગાજતે કરાયું સન્માન


SHARE







મોરબી-માળીયા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બ્રિજેશ મેરજાને ઘોડે ચડાવીને વાજતે ગાજતે કરાયું સન્માન

ગઇકાલે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રા હળવદના ચરાડવામાં આવેલ મહાકાળી આશ્રમ ખાતે માતાજીના દર્શન તેમજ ત્યાના સંતના આશીર્વાદ લઈને આગળ વધી હતી ત્યાર બાદ નીચી માંડલ ગામે તેનું સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતની ટીમે સ્વાગત કર્યું હતું અને બાદમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે જિલ્લા પંચાયતના ઈન્ચાર્જ પ્રમુખ જાનકીબેન કૈલા અને જીજ્ઞેશભાઈ કૈલાની ટીમે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને બ્રિજેશ મેરજાને ઘોડે બેસાડયા હતા બાદમાં તેઓનું દિવ્યાંગોએ અભિવાદન કર્યું હતું અને આ યાત્રા બેલા થઈને જેતપર પહોચી હતી ત્યાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાની ટીમે જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યથી અણિયારી ચોકડી, મોટાભેલા, ચમનપર, વવાણીયામાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને તેની ટીમે જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કર્યું હતું ત્યાર બાદ બ્રિજેશ મેરજાએ શ્રીમદ રાજચંદ્ર મંદિર અને રામબાઈ માતાજીના દર્શન કર્યા હતા.






Latest News