મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી: રિસામણે બેઠેલ પત્ની પછી ન આવતા યુવાને ન કરવાનું કર્યું


SHARE











મોરબી: રિસામણે બેઠેલ પત્ની પછી ન આવતા યુવાને ન કરવાનું કર્યું

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચીમાંડલ ગામ પાસે કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન તેની પત્ની રિસામણે બેઠેલ હોય તેને લેવા માટે ગયો હતો તો પણ તેની પત્ની આવી ન હતી જેથી કરીને તે યુવાનને મનોમન લાગી આવતા તેને પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ અંગેની મૃતકના પિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે કોનોર સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગણેશ્વર રામચંદ્ર જેના જાતે ઓડિયા (૨૮) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરની અંદર પંખા સાથે રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પિતા રામચંદ્ર બંસીધર જેના જાતે ઓડિયા (૫૩) રહે. ઓડિશા વાળાએ મોરબી તાલુકા પોલીસને આ બનાવ અંગેની જાણ કરી હતી અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે છએક મહિનાથી તેની પુત્રવધૂ રિસામણે બેઠેલ છે જેથી કરીને તેનો દીકરો તેને લેવા માટે તેના વતનમાં ગયો હતો પરંતુ તેની પત્ની પાછી આવી ન હતી જેથી કરીને તે મોરબી મજુરી કામ કરવા માટે થઈને મોરબીમાં કોનોર સિરામિક કારખાના ખાતે આવ્યો હતો અને ત્યાં તેને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે






Latest News