મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમા પત્નીને દસ્તાના ઘા ઝીકી પતાવી દેનાર પતિને આજીવન કેદ


SHARE







મોરબીમા પત્નીને દસ્તાના ઘા ઝીકી પતાવી દેનાર પતિને આજીવન કેદ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરીને તેને તેના પતિએ દસ્તા વડે માર માર્યો હતો મહિલાની હત્યા કરી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં રહેતા ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત નામના મહિલાને તેના જ ઘરમાં તેના પતિ પ્રવીણભાઈ મંછારામ કુબાવતે ચારિત્ર્યની શંકા કરીને તા ૧૦.૩.૨૦૨૨ ના રોજ દસ્તાના ઘા માર્યા હતા અને તેની હતી કરી નાખી હતી જે અંગેની મૃતકની દીકરી ઉર્વીશાબેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ૬ મૌખિક અને ૨૫ દસ્તાવેજી પુરાવા ધ્યાને લેવામાં આવ્યા હતા અને મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને આરોપી પ્રવીણભાઈ કુબાવતે આજીવન કેદની સજા ફટકારી છે






Latest News