મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની શ્રી પાટીદાર નવરાત્રિની ટીમે બે સેવાકીય સંસ્થાને કરી ૧૦.૬૨ લાખની આર્થિક સહાય


SHARE







મોરબીની શ્રી પાટીદાર નવરાત્રિની ટીમે બે સેવાકીય સંસ્થાને કરી ૧૦.૬૨ લાખની આર્થિક સહાય

ગુજરાત અને ગરબા એ બન્ને એક સિક્કાની બે બાજુ છે તેમ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, નવરાત્રી નજીક આવે એટલે ગરબા યાદ આવે અને ગરબા યાદ આવે એટલે અચૂક ગુજરાત પણ યાદ આવે જ છે છેલ્લા નવ દિવસમાં નવરાત્રી દરમ્યાન ખેલૈયાઑ પરિવારજનો અને મિત્રોની સાથે મનભરીને ગરબે ઘૂમયા છે ત્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડે શ્રી પાટીદાર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજકોની ટીમે પહેલાથી જ જાહેર કર્યું હતું કે, આ નવરાત્રિ કમાણી માટે નહિ પરંતુ સેવાના ભાવ સાથે કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા નવ દિવસમાં જે ખેલૈયાઑ રમવા માટે આવ્યા તેમજ સ્પોન્સરો તરફથી જે પણ આર્થિક સહયોગ મળ્યો તેના થકી જે આવક થઈ હતી તેમાંથી ૮.૫૧ લાખ રૂપિયા કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબીને આપવામાં આવેલ છે અને ૨.૧૧ લાખ રૂપિયા રવાપર ગામ પાસે આવેલ માધવ ગૌશાળામાં આપવામાં આવેલ છે આમ શ્રી પાટીદાર નવરાત્રિ મહોત્સવની ટીમે જુદીજુદી બે સેવકીય સંસ્થાઓને ૧૦.૬૨ લાખની આર્થિક મદદ કરેલ છે અને આ આયોજકો દ્વારા ગરબે રમવા માટે આવેલા ખેલૈયાઓ માટે જે વ્યવસ્થા કરી હતી ટેન ખેલૈયાઓ દ્વારા ભારોભાર પ્રસંશા કરવામાં આવી છે અને સૌથી મોટી વાતે છે કે, નવરાત્રીના નવ દિવસમાં કોઈ પણ પ્રકારનો વિવાદ શ્રી પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં થયેલ નથી






Latest News