મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હરિયાણામાં રમાતી ઓલ ઈન્ડિયા અંડર ૧૫ ચેમ્પિયન ટ્રોફીમાં મોરબીના અંશ-રાજવીરસિંહનું શાનદાર પ્રદર્શન


SHARE











હરિયાણામાં રમાતી ઓલ ઈન્ડિયા અંડર ૧૫ ચેમ્પિયન ટ્રોફીમાં મોરબીના અંશ-રાજવીરસિંહનું શાનદાર પ્રદર્શન

મોરબીના અંશે શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્ર ઈગલને સેમીફાઈનલમાં પહોંચાડી હતી. સૌરાષ્ટ્ર ઇગલ્સ ટીમે ઉત્તર પ્રદેશને ૩૫ રને હરાવીને હરિયાણાના DPS પાનીપત શહેરમાં રમાઈ રહેલી ઓલ ઈન્ડિયા અંડર ૧૫ ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રની ટીમે ૧૦૨ રન બનાવ્યા હતા જેમાં અંશ ભાકરે સૌથી વધુ ૩૦ રન બનાવ્યા હતા. અને માત્ર એક નાનકડો ટાર્ગેટ બચાવવા આવતા સૌરાષ્ટ્રની ટીમના શાનદાર બોલરોએ ઉત્તર પ્રદેશની ટીમને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી દીધી હતી અને ઉત્તર પ્રદેશની આખી ટીમ ૬૭ રન બનાવીને ૩૫ રનથી મેચ હારી ગઈ હતી. આ મેચમાં અંશ ભાકરે શાનદાર પ્રદર્શન કરી પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ૩૦ રન બનાવવા ઉપરાંત ૪ મહત્વની વિકેટ પણ લીધી હતી. આ ઉપરાંત રાજવીરસિંહ જાડેજાએ ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. હવે આ ટીમ પંજાબ સામે પ્રથમ સેમીફાઈનલ રમશે.






Latest News