મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરાતા ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરાતા ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયો 

મોરબીના સામાકાંઠે આવેલ હોસ્પિટલ પાસે યુવાન સાથે ઝઘડો કરીને તેના ઉપર પીઠના ભાગે છરીનો ઘા કરવામાં આવ્યો હતો.જેથી ઈજા પામેલ યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટ સિવિલે લઈ જવામાં આવ્યો હોવાનું અને બનાવને પગલે હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસસુત્રો તેમજ રાજકોટ ખાતેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રતિલાલ ઉર્ફે અતુલ નાનજીભાઇ સોલંકી નામના ૪૧ વર્ષના યુવાન ઉપર ગઈકાલે સમર્પણ હોસ્પિટલ માળીયા ફાટક પાસે રવિ નામના ઇસમે ઝઘડો કરીને પીઠના ભાગે છરીનો ઘા મારી દીધો હતો.જેથી ઇજા પામેલા રતિલાલ ઉર્ફે અતુલ સોલંકીને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ સિવિલે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર અને રાઇટર લાલભા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પાવળીયારી પાસે પોલિંગ ફેક્ટરી નજીક રહેતા ધર્મેન્દ્રભાઈ હરિનારાયણ સૂર્યવંશી (ઉમર ૩૨) તથા તેમના પુત્ર અમન ધર્મેન્દ્રભાઈ સૂર્યવંશી (૭) બંનેને અકસ્માતે ઇજા થતા સિવિલે ખસેડાયા હતા જેથી હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજાએ તપાસ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે, ધર્મેન્દ્રભાઈ તેમના પુત્ર અમન સાથે બાઈકમાં મોરબીના વાંકડા ગામ પાસે આવેલા હનુમાન મંદિર પાસેથી જઈ રહ્યા હતા ત્યારે ત્યાં અજાણી કારના ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં પિતા-પુત્રને ઇજાઓ પહોંચી હતી.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ ટી.કે.હોટલની પાસે વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં ઇજાગ્રસ્ત યુવાનને હાલ સિવિલે સારવારમાં ખસેડાયો છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલી ટી.કે.હોટેલ નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અથડામણ થઈ હતી.આ અકસ્માત બનાવમાં ઈજા પામેલા ભાવેશ ગોકળભાઈ પંડ્યા (ઉંમર ૨૦) રહે.વીસીપરા મોરબી વાળાને ઇજાઓ પહોંચી હતી.જેથી તેને હાલ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News