મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા


SHARE













મોરબીના બંધુનગર પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા

મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા ડબલ સવારી બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનુ સારવારમાં મોત નીપજયું હતું અને બાઈકમાં બેઠેલા અન્ય એક યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રહેવાસી અને હાલમાં ઢુવા ચોકડી પાસે આવેલ ભુપતભાઈની ઓરડીમાં રહેતા અજયકુમાર ભૂરારામ રાજભર (ભારદ્વાજ) (૩૩)એ હાલમાં ટ્રક ટેલર નં જીજે ૩૬ ટી ૯૮૫૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે નિર્ભયકુમારના બાઈક નં જીજે ૧૦ ડીએચ ૩૮૭ ને આરોપીએ તેના ટ્રક ટ્રેલરથી પાછળથી હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી રોડ ઉપર નીચે ઢસડાતા તેને શરીરે ઇજા અને ફ્રેક્ચર થયેલ હોય તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જોકે બાઈક ચાલક નિર્ભયકુમાર બ્રિજેન્દ્રપ્રસાદ રાજભર (ભારદ્વાજ) (૪૦)ને ગંભીર ઈજા થઇ હોવાથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાના હવાલા વાળું વાહન લઈને નાસી ગયેલ હતો જેથી કરીને ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છેકે, અકસ્માતના આ બનાવમાં યુવાનનું મોત થવાથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News