મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

આપણી રાગદ્વેષ કરાવે તે બુદ્ધિ જો નિર્મળ થઇ જશે તો રામના ખોળે જઇ શકશુ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ


SHARE











મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ કબીરધામ ખાતે મોરારીબાપુની રામકથા ચાલે છે ત્યાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને તેમને પણ લગભગ એક કલાક કરતા વધુ સમય સુધી કથાનું શ્રવણ કર્યું હતું અને ત્યારબાદ તેમણે કથા સાંભળીને ટૂંકમાં શ્રોતાઓને સંબોધતા એટલું જ કહ્યું હતું કે રામના ખોળે જવું હોય તો આપણી જે રાગદ્વેષ કરાવે તેવી બુદ્ધિ નિર્મળ થઇ જશે તો રામના ખોળે જઇ શકશુ

મોરબીમાં 11 મહિના પહેલા જુલતો પુલ તુટી પડ્યો હતો અને તેમાં 135 જેટલા લોકોના મૃત્યુ નીપજયા હતા તે દિવંગત આત્માઓના મોક્ષાર્થે હાલમાં મોરબી નજીકના નાનીવાવડી ગામે કબીર આશ્રમની સામેના ભાગમાં રામકથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના મુખ્ય યજમાન રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા છે અને આજે કથાના બીજા દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી ભાનુબેન બાબરીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મિરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના રાજકીય આગેવાનો તથા સંતો મહંતો સહિતના હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સામાન્ય શ્રોતાઓની જેમ મુખ્યમંત્રીએ પણ એક કલાક કરતાં વધુ સમય સુધી મોરારીબાપુની કથામાં પ્રત્યક્ષ હાજર રહીને કથાનું શ્રવણ કર્યું હતું અને ખાસ કરીને મુખ્યમંત્રીએ લોકોનું સંબોધન કરતા કહ્યું હતું કે રામના ખોળે જવું હોય તો આપણી રાગદ્વેષ કરાવે તે બુદ્ધિ જો નિર્મળ થઇ જશે તો રામના ખોળે જઇ શકશુ




Latest News