ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

સનાતન ધર્મ માટે શાલ નહીં મશાલની જરૂર છે: મોરબીમાં માનસ શ્રદ્ધાંજલી કથામાં મોરારી બાપુની માર્મિક ટકોર, કાલે સ્વચ્છતા ઝુંબેશમાં જોડાશે


SHARE











સનાતન ધર્મ માટે શાલ નહીં મશાલની જરૂર છે: મોરબીમાં માનસ શ્રદ્ધાંજલી કથામાં મોરારી બાપુની માર્મિક ટકોર, કાલે સ્વચ્છતા ઝુંબેશમાં જોડાશે

મોરબીમાં ૧૧ મહિના પહેલા ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો ત્યારે આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને આ દિવગંતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી ગામ પાસે કબીર આશ્રમ સામેના મેદાનમાં મોરારી બાપુની રામકથા શરૂ થયેલ છે આ કથાની પોથીઓનું પુજન ઝૂલતા પુલના દિવંગતોના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યુ હતુ જો કે, પહેલા દિવસે મોરારીબાપુએ કહ્યું હતું કે માનસ શ્રદ્ધાંજલી કથા નામ આપ્યું હતું અને કહ્યું હતું કે, રાજકીય આગેયનો દ્વારા તેનું શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતુ તેને લઈને માર્મિક ટકોર કરી હતી કે સનાતન ધર્મ માટે શાલ નહીં મશાલની જરૂર છે તેઓએ એવું પણ કહ્યું હતું કે,એ રવિવારે તેઓ મોરબીમાં હાથમાં સાવરણો લઈને સ્વચ્છતા ઝુંબેશમાં પણ જોડાશે

આજથી ૧૧ મહિના પહેલા ઝૂલતાપૂલની દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ લોકોના અવસાન થયા હતા જે દિવગંતોના મોક્ષાર્થે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા અને તેની ટિમ દ્વારા મોરબીના નાની વાવડી ગામે આવેલ કબીર આશ્રમ સામેના મેદાનમાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકો કથાના શ્રવણ માટે આવ્યા હતા ત્યારે કબીરધામના મહંત શિવરામદાસ બાપુ, મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા, મંત્રી રાઘવજીભાઇ પટેલ, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા સહિતના રાજકીય આગેવાનો તેમજ કન્નીરામ બાપુ, કન્કેશ્વરી માતાજી, દામજી ભગત, ભાવેશ્વરી માતાજી, અવધકિશોર બાપુ સહિતના સંતો મહંતો આવ્યા હતા ત્યાર બાદ મોરારી બાપુકથાનો પ્રારંભ કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, સનાતન ધર્મના રક્ષણ માટે શાલ નહીં મશાલની જરૂર છે જેથી બધા જ સનાતન ધર્મની રક્ષા માટે જાગૃત રહીએ તેવું પણ કહ્યું હતું આટલું જ નહીં આ કથાને માનસ શ્રદ્ધાંજલી કથા નામ આપ્યું હતું અને યજમાન સહિતના મંત્રીઓએ તેમનું શાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતુ તેને લઈને માર્મિક ટકોર કરી હતી કે સનાતન ધર્મ માટે શાલ નહીં મશાલની જરૂર છેવધુમાં એવું પણ કહ્યું હતું કે,એ રવિવારે તેઓ મોરબીમાં અડધા કલાક સુધી સ્વચ્છતા અભિયાનના ભાગ રૂપે તેઓ પણ હાથમાં સાવરણો લઈને સ્વચ્છતા ઝુંબેશમાં જોડાશ






Latest News