મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડે પાણીના ધાંધિયાથી ત્રાહિમામ મહિલાઓએ પંચાયત ઓફિસે બઘડાટી બોલાવી


SHARE











મોરબીના એસપી રોડે પાણીના ધાંધિયાથી ત્રાહિમામ મહિલાઓપંચાયત ઓફિસે બઘડાટી બોલાવી

મોરબીના એસપી રોડ ઉપર આવેલ એપાર્ટમેંટમાં પાણીના ધાંધીયા હોવાથી ફ્લેટના માલિકો રવાપર ગ્રામ પંચાયતે પહોચ્યા હતા અને અનેક રજુઆત પછી પણ પાણીનો પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને પાણી આપો પાણી આપો તેમજ દુર્લભજીભાઈ હાય હાયના સૂત્રોચ્ચાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબીના એસપી રોડ ઉપર મશાલની વાડી પાસે વી-૮ રેસીડેન્સી નામના વિસ્તારમાં આઇશ્રી હાઈટ્સ, વૃંદાવન અને શિવોહમ રેસિડેન્સીમાં છેલ્લા એક વર્ષથી પીવા અને વાપરવા માટે પાણીના ધાંધીયા છે જેથી કરીને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવે છે તો પણ પાણી પૂરતા પ્રમાણમા અને સમયસર મળતું નથી જેથી મહિલાઓ પંચાયત ઓફિસે પહોચી હતી અને જણાવ્યું હતું કે, ત્યાં રહેતા લોકોએ ૬૦ લાખ આપીને મકાન લીધેલ છે જો કે, પાણી મળતું નથી જેથી કરીને ત્યાં રહેતા ૧૨૫ જેટલા પરિવારોને હેરાન થવુ પડે છે અત્રે ઉલેખનીય છે કે, રેસિડેન્સીમાં પાણીના નળ કનેક્શન મેળવ્યા નથી જેથી ના છૂટકે લોકોને બોરના પાણીનો ઉપયોગ કરવો પડે છે અને બોરના ખારા પાણીના લીધે ચામડીના રોગ વધે તેવી શક્યતા છે જેથી કરીને  મહિલાઓ ગ્રામ પંચાયતે આવી હતી અને ત્યારે પાણી આપો, પાણી આપો અને દુર્લભજીભાઈ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા જો આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News