મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ઇન્દુમતીબેન કાટદરેનું વ્યાખ્યાનનું આયોજન


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ઇન્દુમતીબેન કાટદરેનું વ્યાખ્યાનનું આયોજન

મોરબીની પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ અદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ RSS-વિદ્યા ભારતીના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત પ્રો. ઇન્દુમતીબેન કાટદરે દ્વારા વર-વધુ ચયન અને વિવાહ સંસ્કાર વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, વર-વધુ ચયન અને વિવાહ સંસ્કાર એ આજના સમયના યુવાઓને સૌથી મુંજવતા પ્રશ્નો માનો એક છે. હાલના સમયના આ અત્યંત જરૂરી ગણી શકાય એવા આ મુદા પર પ્રો. ઇન્દુમતીબેન દ્વારા રસપ્રદ શૈલીમાં વિશેષ રજૂઆત અને છણાવટ કરવામા આવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં વિદ્યા ભારતી સંચાલિત સરસ્વતી શિશુ મંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા, યોગચાર્ય નીખીલદેવજી, શિશુ મંદિરના વ્યવસ્થાપક દીપકભાઈ વડાલિયા, હરકીશનભાઈ અમૃતિયા, પરેશભાઈ મોરડિયા, શિશુ મંદિરના નિયામક સુનીલભાઈ પરમાર તથા પુનરુથાન વિદ્યાપીઠના કાર્યકર્તા નિયતીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામા જોડાયા હતા. આ તકે કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા સમાપન અને આભારવિધિ કરવામાં આવી હતી.






Latest News