ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતમાં અઢી વર્ષમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી: ચંદુભાઈ શિહોરા


SHARE











મોરબી જીલ્લા પંચાયતમાં અઢી વર્ષમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી: ચંદુભાઈ શિહોરા

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે છેલ્લા અઢી વર્ષથી મોરબી જિલ્લાના લોકોની સુખકારીમાં વધારો થાય તે માટે કામ કરનારા ચંદુભાઈ શિહોરાની ટર્મ સોમવારે પૂરી થવાની છે ત્યારે છેલ્લા અઢી વર્ષમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી અને કરવા દીધો પણ નથી અને પારદર્શક વહીવટ કરેલ છે

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના આજે પ્રમુખ તરીકે જિલ્લા પંચાયતમાં  છેલ્લો દિવસ છે ત્યારે તેમણે જણાવ્યુ હતું કે, અઢી વર્ષ પહેલા જ્યારે પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી હતી ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારા અઢી વર્ષના શાસનમાં મને કે મારી પાર્ટીને કયારેય પણ દાગ ન લાગે અને હંમેશા લોકોના હિતમાં જ કામ કરિશે જેને ધ્યાનમાં રાખીને અઢી વર્ષમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી અને કરવા દીધો પણ નથી આટલું જ નહીં પારદર્શક વહીવટ કરી જિલ્લા પંચાયત ચલાવી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, જિલ્લા પંચાયત તરફથી ગાડી મળે છે જો કે, તેમાં ડીઝલ મારા ઘરના પૈસે પુરાવિને મે કામ કર્યું છે તેમજ માનદવેતન પણ અઢી વર્ષમાં લીધું નથી. છેલ્લા અઢી વર્ષમાં જિલ્લામાં વિકાસના ૨૨૦૦ લાખથી વધુના કામો કરવામાં આવ્યા છે. અને પ્રધાનમંત્રી સડક યોજનામાં ૨૯૦ કરોડના ખર્ચે વિવિધ રોડના કામો કરવામાં આવ્યા છે અને હજુ ઘણા થઈ પણ રહ્યા છે. ખાસ કરીને તેમણે જણાવ્યુ હતું કે, જિલ્લા પંચાયતનો પ્રમુખ હોવાથી મને ત્રણ વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવાનો મોકો મળ્યો હતો જે મારા માટે અવિસ્મરણીય છે






Latest News