મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીના રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે પીએમ મોદીના જન્મદિન નિમતે નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે


SHARE











મોરબીના રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે પીએમ મોદીના જન્મદિન નિમતે નિઃશુલ્ક યોગ શિબિર યોજાશે

યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટ અને રિયલ ક્રિકેટ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમના સ્વસ્થ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યોગ શિબિર યોજાઇ રહી છે ત્યારે ૧૭ સપ્ટેમ્બરના રોજ એસપી રીંગરોડ આઇકોન રેસિડેન્સીથી આગળ રાધે કૃષ્ણ ફાર્મની બાજુમાં આવેલ રિયલ ક્રિકેટ એકેડમીના ગ્રાઉન્ડ ખાતે નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટના સંચાલક ડો.અલ્પાબેન ભટ્ટ દ્વારા યોગ શિબિરનું સંચાલન કરવામાં આવશે. તેઓએ અગાઉ શાંતાક્રુઝ યોગ ઇન્સ્ટિટ્યૂટ તેમજ બોમ્બે યુનિવર્સિટીથી પીએચડીની ડિગ્રી મેળવેલ છે અત્રે ઉલેખનીય છે કે, ડો. અલ્પાબેન ભટ્ટ અભિનેત્રી અપરા મહેતા તેમજ દર્શના પંડ્યાના પર્સનલ કોચ રહી ચૂક્યા છે અને તેઓ યોગ ક્ષેત્રમાં છેલ્લા ૧૮ વર્ષથી તેઓ અનેક યોગ સાધકોને યોગનું પ્રશિક્ષણ આપેલ છે મોરબીવાસીઓને સ્વસ્થ અને નીરોગી બનાવવાના સંકલ્પ સાથે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે 






Latest News