માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીમાં સંતાન ન થતાં હોય લાગી આવતા યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીમાં સંતાન ન થતાં હોય લાગી આવતા યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબીના રફાળેશ્વર ગામ પાસે વરૂડી માતાજીના મંદિર નજીક આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને આ બનાવની મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, યુવાનને સંતાનો ન થતા હોવાથી તેને લાગી આવતા પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના રફાળેશ્વર પાસે આવેલ શીવાય ટેકનોબાથ એલએલપી નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સુરેશભાઈ રતારામ માધવ જાતે અનુ.જાતી (૩૪)એ લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતકના ભાઈ મેડારામ રતારામ માધવ જાતે અનુ.જાતી (૩૭) દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે જેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનના ભાઈ જેડારમ રત્નારામે જણાવ્યું હતું કે સુરેશભાઈના ઘરે સંતાન ન થતા હોવાથી તેમની તથા તેના પત્નીની દવા ચાલુ હતી દરમિયાન તેણે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાને માર માર્યો

મોરબીના લખધીરપુર રોડ ઉપર સંગીતાબેન રાજેશભાઈ (૩૦) નામની મહિલાને તેના પતિ રાજેશભાઈ તથા તેના મિત્ર દ્વારા મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

જનાવર કરડી ગયું

મોરબીના જેતપર ગામની સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા રેશમબેન દાઉદભાઈ મોહનિયા (૨૨) નામની મહિલાને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે




Latest News