મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમા આહીર સેના ગુજરાત દ્વારા કાર્યાલય ઉદ્ઘાટન તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમા આહીર સેના ગુજરાત દ્વારા કાર્યાલય ઉદ્ઘાટન તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભગવાન શ્રીકૃષ્ણ ના અધ્ન સ્થાને દ્રારકાધીશની સાક્ષીએ આહીર સેના ગુજરાત ના મોરબી જીલ્લા કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું હતું. આહીર સેના ગુજરાત ના મોરબી જીલ્લા પ્રમુખ આહીર ભરતભાઈ ડાવેરા તથા આહીર સેના ગુજરાતના મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જાજાસર રામદેવપીર જગ્યાના મહત નાગરાજ બાપુ તથા બાલંભા જગ્યાના મહંત ભોલેદાસ બાપુ તથા અન્ય સંતો-મહંતો દ્વારા કાર્યાલય ખુલ્લુ મુક્વામાં આવ્યું હતું.

આહીર સેના ગુજરાતના કોરક્મીટીના મેમ્બર રામુભાઈ ગોજીયા, દિલિપભાઈ ચાવડા કેતનભાઈ વાણિયા, મહેભાઇ મકવાણા, મનોજભાઈ ચાવડા, મનવીરભાઈ ખાંડેખા તથા જીલ્લા પ્રમુખોમા જામનગર જીલ્લા આહીર સેના પ્રમુખ ગીરીશભાઈ ડેર, દ્વારકા જીલ્લા આહીર સેના પ્રમુખ દવુભાઈ વારોતરીયા રાજકોટ જીલ્લા આહીર સેના પ્રમુખ ભરતભાઈ કાનગડ, ક્ચ્છ-પૂર્વ આહીર સેના પ્રમુખ દિપકભાઈ કોઠીવાર કચ્છ-પશ્ચિમ આહીર સેના પ્રમુખ દાનાભાઈ આહીર તથા દરેક જીલ્લાની આહીર સેનાની ટીમો તથા આહીર સમાજના સામાજીક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ નિવૃત આર્મી જવાનોનું સન્માન-સમારોહ અને ભાનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા મોરબી જીલ્લા આહીર સેના દ્વારા આગામી સમયમાં અનેકવિધ એજન્ડાઓ ઉપર કાર્યો કરવાની રુપરેખા તૈયાર કરવામાં આવી જેમ કે શૈક્ષણિક વર્ગો, સાંસ્કૃતિક અને ભાતીગળ કાર્યક્રમો, નાના-મોટા મતભેદો દૂર કરી સામાજીક એકતા સ્થાપવાનું આહ્વાન કરવામા આવ્યું, જેને સમગ્ર આહીર સમાજે ઉત્સાહભેર વધાવી લીધો હતો.






Latest News