મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમા આહીર સેના ગુજરાત દ્વારા કાર્યાલય ઉદ્ઘાટન તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમા આહીર સેના ગુજરાત દ્વારા કાર્યાલય ઉદ્ઘાટન તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભગવાન શ્રીકૃષ્ણ ના અધ્ન સ્થાને દ્રારકાધીશની સાક્ષીએ આહીર સેના ગુજરાત ના મોરબી જીલ્લા કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું હતું. આહીર સેના ગુજરાત ના મોરબી જીલ્લા પ્રમુખ આહીર ભરતભાઈ ડાવેરા તથા આહીર સેના ગુજરાતના મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જાજાસર રામદેવપીર જગ્યાના મહત નાગરાજ બાપુ તથા બાલંભા જગ્યાના મહંત ભોલેદાસ બાપુ તથા અન્ય સંતો-મહંતો દ્વારા કાર્યાલય ખુલ્લુ મુક્વામાં આવ્યું હતું.

આહીર સેના ગુજરાતના કોરક્મીટીના મેમ્બર રામુભાઈ ગોજીયા, દિલિપભાઈ ચાવડા કેતનભાઈ વાણિયા, મહેભાઇ મકવાણા, મનોજભાઈ ચાવડા, મનવીરભાઈ ખાંડેખા તથા જીલ્લા પ્રમુખોમા જામનગર જીલ્લા આહીર સેના પ્રમુખ ગીરીશભાઈ ડેર, દ્વારકા જીલ્લા આહીર સેના પ્રમુખ દવુભાઈ વારોતરીયા રાજકોટ જીલ્લા આહીર સેના પ્રમુખ ભરતભાઈ કાનગડ, ક્ચ્છ-પૂર્વ આહીર સેના પ્રમુખ દિપકભાઈ કોઠીવાર કચ્છ-પશ્ચિમ આહીર સેના પ્રમુખ દાનાભાઈ આહીર તથા દરેક જીલ્લાની આહીર સેનાની ટીમો તથા આહીર સમાજના સામાજીક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ નિવૃત આર્મી જવાનોનું સન્માન-સમારોહ અને ભાનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા મોરબી જીલ્લા આહીર સેના દ્વારા આગામી સમયમાં અનેકવિધ એજન્ડાઓ ઉપર કાર્યો કરવાની રુપરેખા તૈયાર કરવામાં આવી જેમ કે શૈક્ષણિક વર્ગો, સાંસ્કૃતિક અને ભાતીગળ કાર્યક્રમો, નાના-મોટા મતભેદો દૂર કરી સામાજીક એકતા સ્થાપવાનું આહ્વાન કરવામા આવ્યું, જેને સમગ્ર આહીર સમાજે ઉત્સાહભેર વધાવી લીધો હતો.




Latest News