મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેમ કહીને યુવાનને માર માર્યોની ફરીયાદ નોંધાય, વળતી ફરીયાદ પણ નોંધાઇ


SHARE











મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેમ કહીને યુવાનને માર માર્યોની ફરીયાદ નોંધાય, વળતી ફરીયાદ પણ નોંધાઇ

મોરબીના લીલાપર રોડ ઉપર મંદિરે જવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક પક્ષેથી ચાર લોકોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને જેમાં સામેના પક્ષેથી પણ વળતી ફરિયાદ નોંધાતા સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુના નોંધીને આગળની તપાસ હાથ ધરાઇ છે.

આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર સબજેલ ચોકની સામે આવેલ હનુમાનજી મંદિરની સામે રહેતા જયેશભાઇ હમીરભાઇ ખાંભલા જાતે રબારી (ઉમર ૩૪) નામનો યુવાન તેના ઘર નજીક આવેલ હનુમાનજીના મંદિરે ગયો હતો.ત્યારે મંદિરે રહેલા સામાવાળા વિક્રમભાઇ છગનભાઇ જારીયા જાતે બોરીચા, વિજયભાઇ ભગવાનજીભાઇ જારીયા, છગનભાઇ ટપુભાઇ જારીયા અને જેઠાભાઇ ટપુભાઇ જારીયા રહે.બધા બોરીચાવાસ મોરબી વાળાઓએ "તું અહીં કેમ આવ્યો..?" તેમ કહીને ગાળો આપી ઢીક્કાપાટુ વજે માર માર્યો હતો.તેમજ મંદિરના દરવાજાની બાજુમા આવેલ સીમેંન્ટ બાકળા ઉપર પછાડ્યો હતો.મારામારીના આ બનાવમાં જયેશભાઇ ખાંભલાને નાકના ભાગે ફ્રેક્ચર થઇ ગયુ હતુ.હાલ ચારેયની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

આ બનાવમાં સામેના પક્ષેથી વિક્રમભાઈ છગનભાઈ જારીયા જાતે બોરીચા (ઉંમર ૪૦) રહે.જેલચોક સામે બોરીચા વાસવાળાએ પણ જયેશ હમીર ખાંભલા જાતે રબારી રહે.જેલચોક વાળાની સામે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મંદિરે આવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જેમાં સામેવાળાએ તેઓને તથા તેમની સાથેના લોકોને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.






Latest News