મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં માતાને રસોઈમાં મદદ કરવાની ના પડ્યા બાદ લાગી આવતા સગીરાએ અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીમાં માતાને રસોઈમાં મદદ કરવાની ના પડ્યા બાદ લાગી આવતા સગીરાએ અંતિમ પગલું ભર્યું

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પરિવારની ૧૨ વર્ષની દીકરીને રસોઈ કામમાં મદદ કરવા માટે થઈને તેની માતાએ કહ્યું હતું ત્યારે તેણે ગુસ્સામાં આવીને રસોઈ કામ કરવાની ના પાડી હતી ત્યારબાદ તેને મનોમન લાગી આવતા તેણે લેબર ક્વાર્ટરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મીટકો કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ધનસિંગ ભાભરની બાર વર્ષની દીકરી પરમીલાએ લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પિયુષભાઈ દેત્રોજા (૩૭) રહે. મોરબી વાળા મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની તેમના દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક સગીરાને તેની માતાએ ઘરમાં રસોઈ બનાવવામાં મદદ કરવા માટે થઈને કહ્યું હતું ત્યારે તેને ગુસ્સામાં આવીને મદદ કરવાની ના પાડી દીધી હતી જોકે ત્યારબાદ તેને મનોમન લાગી આવતા તેને લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું હાલમા જાણવા મળી રહ્યું છે પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News