મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી પોલીસ કર્મચારી મૃત્યુ કેસ : તપાસને લઇને હાઇકોર્ટની નારાજગી છતાં ડીવાયએસપી-પીએસઆઇની હજી સુધી ધરપકડ કેમ નહીં..?


SHARE







મોરબી પોલીસ કર્મચારી મૃત્યુ કેસ : તપાસને લઇને હાઇકોર્ટની નારાજગી છતાં ડીવાયએસપી-પીએસઆઇની હજી સુધી ધરપકડ કેમ નહીં..?

મોરબીના વતની અને જુનાગઢ ખાતે પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશભાઈ લાવડીયાએ ઉપરી અધિકારીઓ દ્વારા માર મારવામાં આવતા અને ધમકીઓ આપવામાં આવતા બ્રીજેશભાઇ લાવડીયાએ અંતિમ પગલું ભર્યું હતું અને તેમના આપઘાત મોતના પગલે ઘેરા પડઘા પડ્યા હતા.પોલીસ બેડામાં તથા આહીર સમાજમાં આ બાબતની ભારે ચર્ચાઓ જાગી હતી.

છતાં પણ હાલ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોય અંતે મૃતકના પુત્ર દ્વારા હાઇકોર્ટમાં ફરિયાદ કર્યા બાદ મૃતકના પીએમ રિપોર્ટ અને તમામ બાબતોમાં શરીર ઉપર મારના નિશાનો હોય જુનાગઢ પોલીસને કાર્યવાહી કરવા હાઇકોર્ટ દ્રારા આદેશ આપવામાં આવ્યા હતા.અંતે જુનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા અને પીએસઆઇ ખાચર સામે મૃતક બ્રિજેશભાઈ લાવડીયાને મરવા મજબૂર કરવા સબબ ગુનો દાખલ કરવામાં આવેલો છે.જેની તપાસ પોરબંદરના ડીવાયએસપી નીલમ ગોસ્વામીને સોંપવામાં આવેલી છે અને ફરિયાદ થઈ ગયાના ૧૪ દિવસ છતાં પણ હજી સુધી આ બાબતમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી..! મૃતક બ્રિજેશભાઈને માર મારવામાં માટે લાકડીઓ લઈને આવતા-જતા સ્ટાફના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે લેવાયા છે.આ કેસની ગંભીરતાને લઈને હાઇકોર્ટે આ આ કેસનું મોનિટરીંગ પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાને કરવા હુકમ કરેલ છે.પોલીસ દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢ પોલીસ સ્ટેશન ખાતે બનાવ બન્યાના ૧૪૦ દિવસ સુધી ફરિયાદ નોંધવવામાં આવી ન હતી..! અને બાદમાં હાઇકોર્ટે કરેલ હુકમ બાદ ફરિયાદ નોંધાયાને ૧૪ દિવસ થયા છતાં આ કેસમાં પોલીસ વિભાગ દ્રારા કોઈપણ જાતની આગળ કાર્યવાહી થઈ નથી તે હકીકત છે.ન્યાય મેળવવા માટે પોલીસ પરિવારે જો આટલી જહેમત ઉઠાવવી પડતી હોય તો વિચારો સામાન્ય નાગરિકોની શું હાલત થતી હશે..?






Latest News