મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા વૃદ્ધ સારવારમાં


SHARE











મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા વૃદ્ધ સારવારમાં

મોરબીના લીલાપર-કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલો નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર ચાલકે રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ટંકારાના વૃદ્ધને ઇજા થતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા રામકો બંગલોની પાસે વાહન અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં કાનજીભાઈ પરસોતમભાઈ ઉઘરેજા (ઉંમર ૫૩) રહે. વીરપર તા.ટંકારાને ઇજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વધુમાં બનાવ સંદર્ભે પોલીસના જણાવ્યા પ્રમાણે કાર ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી.જે બનાવમાં ઉપરોક્ત અકસ્માત બનાવ બન્યો હતો અને તેમાં કાનજીભાઈ ઉઘરેજાને ઇજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.

ટ્રક પલ્ટી જતા ઇજા

મોરબીના હળવદ નજીક વાહન અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ટ્રક પલ્ટી મારી જતા કચ્છના મુન્દ્રા ખાતે રહેતા રણજીતસિંહ તેરસિંહ નામના ૨૪ વર્ષના યુવાનને ઇજા થતા અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હળવદ નજીક ટ્રકની આડે ઓચિંતી ગાય આવી જતા ગાયને બચાવવા જતા સમયે ટ્રક પલ્ટી મારી ગયો હતો અને તે બનાવમાં રણજીતસિંહને ઈજા થતા મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હોય બનાવને પગલે સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા બનાવની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.તેમ એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા બાપા સીતારામ ડેરી પાસે મોડી રાતના મારામારીનો બનાવ બન્યો હતો તે બનાવમાં જીતુભાઈ સુરેશભાઈ ઓડ (ઉમર ૨૦) રહે.શાલીગ્રામ એપાર્ટમેન્ટ રવાપર રોડ વાળાને ઇજા થતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.મારામારીનો બનાવ કયા કારણોસર બન્યો હતો..? તે દિશામાં પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News