મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બે પરણીતાને સાસરિયાનો ત્રાસ: જુદાજુદા બે ગુના નોંધાયા


SHARE











મોરબી જીલ્લામાં બે પરણીતાને સાસરિયાનો ત્રાસ: જુદાજુદા બે ગુના નોંધાયા

મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે વિસ્તારમાં રહેતી મહિલાઓએ તેના પતિ સહિતના સાસરીયાઓની સામે શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની અને મારકૂટ કરતાં હોવાની ફરિયાદ નોંધાવેલ છે જે બાબતે પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રપરા શેરી નં- ૨૧ રમાં માવતરના ઘરે રહેતા પરવીનબેન અકરમભાઈ સુતાર (૩૦) નામની પરણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ અકરમભાઈ આરીફભાઈ સુતાર, સાસુ નસીમબેન આરીફભાઈ સુતાર, નણંદ મુસ્કાનબેન આરીફભાઈ સુતાર અને સોફિયાબેન રમજાનભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને ઘરકામ બાબતે અને નાની નાની વાતમાં મેણાટોણા મારવામાં આવતા હતા અને મારકૂટ કરીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિતનાઓની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના રહેવાસી અને હાલમાં વાંકાનેરના લાલપર ગામે માવતરના ઘરે રહેતા ગુલનાઝબેન વસીમભાઈ ખોરજીયા જાતે મોમીન (૨૪)એ તેના પતિ વસીમભાઈ યુસુફભાઈ ખોરજીયા અને સસરા યુસુફભાઈ અમીનભાઈ ખોરજીયા રહે બંને ચંદ્રપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અવારનવાર નાની-નાની બાબતોમાં તથા કરિયાવર ઓછો લાવી છો તેમ કહીને મેણા ટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને ફરિયાદીના પતિને ખોટી ચડામણી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં પરિણીતએ નોંધાવેલ ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બંને બનાવની આગળની વધુ તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ. લગધિરકા ચલાવી રહ્યા છે






Latest News