મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી: પાકીસ્તાનથી આવેલ હિન્દુ શરણાર્થીઓની વ્હારે આવતુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર


SHARE













મોરબી: પાકીસ્તાનથી આવેલ હિન્દુ શરણાર્થીઓની વ્હારે આવતુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર

પાકીસ્તાનથી આવેલ હિન્દુ શરણાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બંને ટાઈમ ભોજન વ્યવસ્થા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી કરવામાં આવશે.તાજેતરમાં પાકીસ્તાનથી હરીદ્વારના વિઝા લઈ ભારત આવેલ હિન્દુઓ મોરબી મુકામે આવી પહોંચ્યા છે ત્યારે તે લોકો માટે તંત્ર સાથે સંકલન સાધી બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર તરફથી કરવામાં આવશે.તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તથા સી.ડી.રામાવતે જણાવ્યુ છે.વધુમાં મોરબી શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડએ શરણાર્થીઓ માટે જરૂર પડ્યે મોરબી જલારામ મંદિર ખાતે રહેવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ જણાવ્યુ છે.આ  કાર્યમાં ગીરીશભાઈ ઘેલાણી, સુરેશભાઈ સિહોરીયા, સી.ડી.રામાવત, ચિરાગ રાચ્છ, હિતેશ જાની સહીતના અગ્રણીઓ જોડાયા હતા.






Latest News