સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાશે


SHARE











મોરબીમાં કાલે શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાશે

ધાર્મિક ઉત્સવ સમિતિ તથા સમસ્ત સીધી સમાજના સહયોગથી કાલે તા.૨૦ ઓગસ્ટને રવિવારના રોજ શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ તા.૨૦-૮ ને રવિવારના રોજ સિંધુ ભવન, સ્ટેશન રોડ મોરબી ખાતે યોજાશે જે મહોત્સવ નિમિતે સવારે ૮:૩૦ કલાકે પુર્ણાહુતી પૂજા વિધિ, સવારે ૧૦:૩૦ કલાકે અખ્ખો-પજડા-આરતી-પલ્લવ તેમજ બપોરે ૧૨ થી ૨:૩૦ સુધી ભંડારો (પ્રસાદ) નું આયોજન કરવામાં આવ્યું છે.

તે ઉપરાંત સાંજે પુર્ણાહુતી મહોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે યોજાશે જેમાં સાંજે ૫:૩૦ કલાકે ભેહરાણા સાહેબ, રાત્રે ૮:૩૦ કલાકે જ્યોતિ પરવાના અને રાત્રે ૯ કલાકે ભંડારો (પ્રસાદ) યોજાશે.ધાર્મિક મહોત્સવમાં સિંધી સમાજના દરેક ભાઇ-બહેનોએ પધારવા સિંધી જનરલ પંચાયત દ્વારા ભાવભર્યું જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News