વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ પાસે રામકો સોસાયટીમાં બહેનના ઘરે આવેલા ભાઈએ જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીના ઘુટુ પાસે રામકો સોસાયટીમાં બહેનના ઘરે આવેલા ભાઈએ જીવન ટૂંકાવ્યું

મોરબી નજીકના ઘુટુ ગામ નજીક આવેલ રામકો સોસાયટીમાં બહેનના ઘરે આવેલા ભાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતકના કાકા તેના ડેડબોડીને લઈને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં પંચની મેલડી માતાજીના મંદિર પાસે રહેતો હરેશભાઈ નારણભાઈ સનુરા (૨૮) નામનો યુવાન મોરબી નજીકના ગામ પાસે આવેલ ઘૂટું ગામ નજીક રામકો સોસાયટીમાં રહેતા તેના બહેન હંસાબેનના ઘરે ગયો હતો અને ત્યાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના ડેડબોડીને તેના કાકા ભરતભાઈ અમરશીભાઈ સનુરા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવતા ડોક્ટરને તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના બહેન અને બનેવી કામે ગયા હતા અને યુવાન તેના બહેનના ઘરે એકલો હતો દરમિયાન તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને બહેનના ઘરે આપઘાત કરી લીધેલ છે હાલમાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બે બીયર
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પાસેથી ૨૦૦ ની કિંમતના બિયરના ટીન કબજે કર્યા હતા અને દિપકભાઈ રાજુભાઈ બુધ્ધદેવ જાતે લોહાણા (૨૮) રહે. વાઘપરા શેરી નં-૩ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News