મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ પાસે રામકો સોસાયટીમાં બહેનના ઘરે આવેલા ભાઈએ જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીના ઘુટુ પાસે રામકો સોસાયટીમાં બહેનના ઘરે આવેલા ભાઈએ જીવન ટૂંકાવ્યું

મોરબી નજીકના ઘુટુ ગામ નજીક આવેલ રામકો સોસાયટીમાં બહેનના ઘરે આવેલા ભાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતકના કાકા તેના ડેડબોડીને લઈને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારીમાં પંચની મેલડી માતાજીના મંદિર પાસે રહેતો હરેશભાઈ નારણભાઈ સનુરા (૨૮) નામનો યુવાન મોરબી નજીકના ગામ પાસે આવેલ ઘૂટું ગામ નજીક રામકો સોસાયટીમાં રહેતા તેના બહેન હંસાબેનના ઘરે ગયો હતો અને ત્યાં તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના ડેડબોડીને તેના કાકા ભરતભાઈ અમરશીભાઈ સનુરા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવતા ડોક્ટરને તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના બહેન અને બનેવી કામે ગયા હતા અને યુવાન તેના બહેનના ઘરે એકલો હતો દરમિયાન તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને બહેનના ઘરે આપઘાત કરી લીધેલ છે હાલમાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બે બીયર
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પાસેથી ૨૦૦ ની કિંમતના બિયરના ટીન કબજે કર્યા હતા અને દિપકભાઈ રાજુભાઈ બુધ્ધદેવ જાતે લોહાણા (૨૮) રહે. વાઘપરા શેરી નં-૩ મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News