વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના રણમલપુરમાં મકાન પચાવી પડનારા ભાઈની સામે વૃદ્ધે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ


SHARE











હળવદના રણમલપુરમાં મકાન પચાવી પડનારા ભાઈની સામે વૃદ્ધે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા વૃદ્ધને ગામતળની જમીનમાં પ્લોટ નં-૩૬ સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો જેના ઉપર તેને મકાન બનાવ્યું હતું જે મકાન તેના જ નાના ભાઈએ પચાવી પડ્યું હોવાથી વૃદ્ધે તેના ભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા કરસનભાઈ પુંજાભાઈ રાઠોડ (૮૧)એ હાલમાં તેના નાના ભાઈ કાનજીભાઈ પુંજાભાઈ રાઠોડ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૧૯૮૧ માં સરકાર તરફથી સાથણીમાં મળેલ પ્લોટ નં-૩૬ જેની ૮૩.૬૧ ચોરસ મીટર જમીન ઉપર તેઓએ પોતાની માલિકીનું મકાન બનાવ્યું હતું અને તેની બાજુમાં પ્લોટ નં-૩૭ કાનજીભાઈ પુંજાભાઈ તેઓના નાના ભાઈનું મકાન આવેલ છે જોકે ગામમાં કોઈ કામ ધંધો ચાલતો ન હોવાથી તેઓ અમદાવાદ ખાતે કામ ધંધો કરવા માટે થઈને અમદાવાદ જતા રહ્યા હતા અને તેઓના ઘરની બાજુમાં રહેતા તેના ભાઈ કાનજીભાઈ પુંજાભાઈને ઘરની સારસંભાળ રાખવા માટે થઈને કહ્યું હતું અને નાના ભાઈ ત્યાં રહેવા લાગેલા હતા જોકે તેને ફરિયાદીએ મકાન ખાલી કરવા માટે કહ્યું હતું ત્યારે મકાન ખાલી કરવાની ના પાડી દીધી હતી જેથી ફરિયાદી અને તેના પત્ની તથા તેના દીકરાએ તેઓના સગા સંબંધીને કહીને તેનું મકાન ખાલી કરવા માટે થઈને ફરિયાદીના નાના ભાઈને સમજાવેલ હતા પરંતુ ફરિયાદીની માલિકીનું મકાન ખાલી કરવાની તેને ના પાડી દેતા ગેરકાયદેસર રીતે મકાન પચાવી પાડેલ હતું જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા તેના નાના ભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News