મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે મોબાઈલ સેવાકેમ્પ યોજાશે


SHARE







મોરબી જલારામ મંદિર દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે મોબાઈલ સેવાકેમ્પ યોજાશે

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવાઓ કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરવર્ષે કચ્છમાં આવેલ માતાના મઢે માઁ આશાપુરાની આરાધના કરવા માટે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પનું આયોજન કરવામાં આવે છે તે મુજબ ચાલુ વર્ષે પણ સંસ્થા દ્વારા મોબાઈલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ચા-પાણી-નાસ્તો, ભોજન પ્રસાદ, મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે.આ સેવા કેમ્પ તા.૪-૧૦ થી ૬-૧૦ દરમિયાન માનકુવાથી માતાના મઢના રૂટ ઉપર ફરતો રહેશે.પદયાત્રામાં જતા પદયાત્રિકોને ઈમરજન્સી મેડીકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે હીતેશભાઈ જાની (મો.૯૮૨૫૩ ૨૬૭૨૯) અથવા ચિરાગભાઈ રાચ્છ (મો.૯૦૯૯૬ ૦૦૦૮૧) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે. સેવા કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હીતેશભાઈ જાની, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટેલ), કીશોરભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ કંસારા, મનિષભાઈ પટેલ,અનિલભાઈ સોમૈયા, હસુભાઈ પંડીત, પોલાભાઈ પટેલ સહીતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.તેમ નિર્મિત કક્કડે જણાવેલ છે.

૨૬ સપ્ટેમ્બર વિશ્વ બધિર દિવસ અનુસંધાને મોરબીમાં સ્પર્ધાનું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારાં માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં ૨૦૨ મોરબી ખાતે કાર્યરત છે તેના દ્વારાં ૨૬ મી સપ્ટેમ્બર એટલે કે "વિશ્વ બધિર  દિવસ" નાં અનુસંધાને ઘરેબેઠા ઓનલાઇન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવામાં આવેલ છે જેમાં વિડીયો દ્વારાં કેટેગરી અનુસાર પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.બધિર  એટલે શ્રવણમંદ (સાંભળવાની બિમારી) તા.૨૬-૯ ના રાતના નવ વાગ્યા સુધીમાં જવાબોનો વિડીઓ વિડીઓ બનાવીને એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેન ભટ્ટને મોકલી આપવાના રહેશે.

 






Latest News