મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે મોબાઈલ સેવાકેમ્પ યોજાશે


SHARE











મોરબી જલારામ મંદિર દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે મોબાઈલ સેવાકેમ્પ યોજાશે

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવાઓ કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરવર્ષે કચ્છમાં આવેલ માતાના મઢે માઁ આશાપુરાની આરાધના કરવા માટે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પનું આયોજન કરવામાં આવે છે તે મુજબ ચાલુ વર્ષે પણ સંસ્થા દ્વારા મોબાઈલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ચા-પાણી-નાસ્તો, ભોજન પ્રસાદ, મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે.આ સેવા કેમ્પ તા.૪-૧૦ થી ૬-૧૦ દરમિયાન માનકુવાથી માતાના મઢના રૂટ ઉપર ફરતો રહેશે.પદયાત્રામાં જતા પદયાત્રિકોને ઈમરજન્સી મેડીકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે હીતેશભાઈ જાની (મો.૯૮૨૫૩ ૨૬૭૨૯) અથવા ચિરાગભાઈ રાચ્છ (મો.૯૦૯૯૬ ૦૦૦૮૧) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે. સેવા કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હીતેશભાઈ જાની, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટેલ), કીશોરભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ કંસારા, મનિષભાઈ પટેલ,અનિલભાઈ સોમૈયા, હસુભાઈ પંડીત, પોલાભાઈ પટેલ સહીતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.તેમ નિર્મિત કક્કડે જણાવેલ છે.

૨૬ સપ્ટેમ્બર વિશ્વ બધિર દિવસ અનુસંધાને મોરબીમાં સ્પર્ધાનું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારાં માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં ૨૦૨ મોરબી ખાતે કાર્યરત છે તેના દ્વારાં ૨૬ મી સપ્ટેમ્બર એટલે કે "વિશ્વ બધિર  દિવસ" નાં અનુસંધાને ઘરેબેઠા ઓનલાઇન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવામાં આવેલ છે જેમાં વિડીયો દ્વારાં કેટેગરી અનુસાર પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.બધિર  એટલે શ્રવણમંદ (સાંભળવાની બિમારી) તા.૨૬-૯ ના રાતના નવ વાગ્યા સુધીમાં જવાબોનો વિડીઓ વિડીઓ બનાવીને એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેન ભટ્ટને મોકલી આપવાના રહેશે.

 






Latest News