ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ૧.૦૪ લાખની રોકડ સાથે પકડાયા


SHARE











વાંકાનેરના મહીકા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ૧.૦૪ લાખની રોકડ સાથે પકડાયા

વાંકાનેર તાલુકાનાં મહીકા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં તાલુકા પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧.૦૪ લાખની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ ડી.વી.ડાંગરના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમના સંજયસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી મળી હતી કેસતિશભાઇ નરશીભાઇ સોંલકી રહે. વાંકાનેર નવાપરા વાળો પોતાના બનેવીની મહીકા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો ભેગા કરી જુગાર રમાડે છે જેથી કરીને ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સતિષભાઇ નરશીભાઇ સોંલકી જાતે કોળી (ઉ.૩૦) રહે. નવાપરા વાંકાનેર, સંતોષભાઇ રામજીભાઇ રાઠોડ જાતે કોળી (ઉ.૨૦) રહે. વીશીપરાવાંકાનેર, હુશેનભાઇ અલીમામદભાઇ શેખાણી જાતે મેમણ (ઉ.૩૨) રહે. લક્ષ્મીપરા વાંકાનેર, મુકેશભાઇ રમેશભાઇ ડાભી જાતે કોળી (ઉ.૪૦) રહે. નવાપરાવાંકાનેર, મનોજભાઇ મેરૂભાઇ રાઠોડ જાતે કોળી (ઉ.૩૬) રહે.નવાપરાવાંકાનેર અને મનોજભાઇ ગીરધરભાઇ ડાભી જાતે કોળી (ઉ.૨૧) રહે. નવાપરાવાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે છ શખ્સોની રોકડ ૧,૦૪,00 ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી આ કામગીરી પીએસઆઈ ડી.વી.ડાંગરની સૂચન મુજબ મયુરધ્વજસિંહ જાડેજા, હરીચંન્દ્રસિંહ ઝાલા, કેશભાઇ જીલરીયા, સંજયસિંહ જાડેજા, અકીલભાઇ બાંભણીયા, અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી 






Latest News