જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

ગુનેગારોનો ઉતારો મોરબી..? : ઉત્તરપ્રદેશમાંથી અપહરણ કરાયેલ યુવતી આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE











ગુનેગારોનો ઉતારો મોરબી..? : ઉત્તરપ્રદેશમાંથી અપહરણ કરાયેલ યુવતી આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બાતમીના આધારે યુપી પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતુુ અને ત્યાંથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી ભોગ બનેલ યુવતી સાથે મળી આવતા હાલ બંનેને હસ્તગત કરીને સાથે યુપી લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના મંદપા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ નોંધાયેલ અપહરણના બનાવમાં ભોગ બનેલ યુવતી આરોપી સાથે મોરબી હોવાની બાતમી મળતા ત્યાંના મંદપા પોલીસ મથકના એસઆઈ વિજયપાલસિંહ સ્ટાફ સાથે મોરબી આવ્યા હતા અને મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ આવે ધાર વિસ્તારમાં સ્થાનિક સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને સાથે રાખીને સર્ચ કરવામાં આવતા ત્યાંથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરાયેલી યુવતી આરોપી અમિત બલ્લુભાઈ તિવારી રહે.ઇટાલીયા થાના બલીયા જનપદ હમીરપુર યુપી વાળા સાથે મોરબીમાંથી મળી આવી હતી.જેથી હાલ આગળની કાર્યવાહી અર્થે બંનેને હસ્તગત કરીને સાથે યુપી લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ બક્ષી શેરીમાં રહેતા મહેશભાઇ અશોકભાઈ આચાર્ય નામના ૪૧ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે જાતે બ્લેડ વડે ડાબા હાથના ભાગે ચેકા મારીને ઇજાઓ કરી હતી જેથી ઇજાગ્રસ્ત મહેશભાઈ આચાર્યને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીની વાવડી ચોકડી નજીક આવેલ મોતેશ્વર મહાદેવ મંદિર પાસેના ગોકુલનગર વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં રવિ સુભાષભાઈ રાઠોડ નામના ૨૫ વર્ષના યુવાનને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે સારવાર કરવામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા હાલ મારામારીના આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News