મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે આસામ રાયફલ્સમાં જોડાયેલ ડો. પ્રયાગભાઈ દવેનું કર્યું સન્માન


SHARE







મોરબીના પરશુરામ ધામ ખાતે આસામ રાયફલ્સમાં જોડાયેલ ડો. પ્રયાગભાઈ દવેનું કર્યું સન્માન

મોરબીમાં આવેલ રાજકોટ નાગરિક બેંકમાં ફરજ બજાવતા જયેશભાઇ દવેના દીકરા ડો. પ્રયાગભાઈ દવેએ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સીઆરપીએફએસમાં આસામ રાયફલ્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (મેડિકલ ઓફિસર) તરીકે જોડાયેલ છે અને તેની ટ્રેનિંગ નાગાલેન્ડ ખાતે પૂર્ણ થયેલ છે ત્યારે તે ડૉક્ટર બન્યા બાદ પણ રાષ્ટ્ર સેવા કરવીની ઈચ્છા હતી અને તેના પરિવાર તરફથી પણ તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેથી ડો. પ્રયાગભાઈએ પરિવાર અને મોરબી તેમજ બ્રહ્મસમાજનું નામ રોશન કર્યું છે ત્યારે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ટ્રસ્ટ તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, પ્રશાંતભાઈ મહેતા, રવિન્દ્રભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નીરાજભાઈ ભટ્ટ, નલિનભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News