જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કુલ ૩.૦૬ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર


SHARE











મોરબી જિલ્લામાં કુલ ૩.૦૬ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

મોરબી જિલ્લામાં હાલ ખરીફ પાકનું મોટાભાગનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. આ  વાવેતર કુલ ૩.૦૬ લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય પાકો કપાસ, મગફળી, તલ, દિવેલા, શાકભાજી તેમજ અન્ય પાકોમાં ગુવાર, તુવેર, સોયાબીન અને ઘાસચારોનું વાવેતર કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે ખેડૂતો ખેતરમાં ડી.એ.પી., એસ.એસ.પી. અને એન.પી.કે. ખાતરનો ઉપયોગ કરતા હોય છે ઉપરાંત પૂર્તિ ખાતર તરીકે યુરીયાનો ઉપયોગ કરે છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ તાલુકા સેન્ટર પર રાસાયણિક ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાં ડી.એ.પી- ૫૬૮૬.૩૫ , યુરિયા- ૩૭૭૧.૯૨ , એન.પી.કે.- ૭૪૨૦.૭૬ અને એસ.એસ.પી.- ૨૨૪૫.૩૬ મે.ટન ઉપલબ્ધ છે જો કોઈ ખેડૂત ખાતર ખરીદવા માટે ઇચ્છુક હોય તે ખેડૂતો ખાતરની ખરીદી શકશે. ખેડૂતોએ ખોટી અફવાઓથી ગેર માર્ગે ન દોરાતા જરૂરિયાત ખાતર ખરીદવું અને ખાતરનો નો ખોટો સંગ્રહ ટાળવો.

વધુમાં ખેડૂત ખાતેદારને જણાવવાનું કે રાસાયણિક ખાતરોના વિતરણની પદ્ધતિમાં પારદર્શિતા રાખવામાં આવશે ઉપરાંત ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોનાં ઔદ્યોગિક વપરાશ પર અંકુશ, ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતા પાસે ખાતરના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઇન માહિતી મળી રહે, ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર ઉપ્લબ્ધ થાય તે હેતુસર ભારત સરકાર દ્વારા સબસીડાઈઝ્ડ રાસાયણિક ખાતરોનું વેચાણ પી.ઓ.એસ. મશીનથી કરવામાં આવશે. તેમજ મોરબી જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોએ રાસાયણિક ખાતરની ખરીદી સમયે પોતાનું આધારકાર્ડ અવશ્ય સાથે રાખવા નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News