મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પુરુષોતમ માસમાં યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાશે


SHARE











મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પુરુષોતમ માસમાં યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાશે

પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન ભક્તિભાવ નો મહિમા અનેરો છે ત્યારે દેશભરમાંથી લોકો વિવિધ યાત્રાધામોના દર્શનાર્થે જતા હોય છે.સૌરાષ્ટ્રની પાવન ધરતી ઉપર વિવિધ યાત્રાધામો આવેલ છે તેથી વિવિધ સ્થળેથી લોકો સુપ્રસિધ્ધ યાત્રાધામોની મુલાકાતે આવતા હોય છે.ત્યારે યાત્રાળુઓ મોરબી મુકામે આરામ કરી શકે તેમજ તેમના માટે રહેવા-જમવાની ઉતમ વ્યવસ્થા થાય તે માટે મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન યાત્રાળુઓ માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા તથા જયેશભાઈ ટોળીયાએ યાદીમાં જણાવ્યુ છે.

બહારગામથી આવતા યાત્રા સંઘ માટે યોગ્ય વ્યવસ્થા થઈ શકે તે હેતુસર બે દીવસ અગાઉ અનિલભાઈ સોમૈયા (મો.૮૫૧૧૦ ૬૦૦૬૬), હરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨ ૧૮૪૧૫) નો સંપર્ક કરી સંખ્યા નોંધાવવાની રહેશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ છે. #MORBI TODAY






Latest News