મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા ગામે પરણિતાના આપઘાત કેસમાં સાસુ-સસરાને પાંચ વર્ષની સજા


SHARE







મોરબીના માણેકવાડા ગામે પરણિતાના આપઘાત કેસમાં સાસુ-સસરાને પાંચ વર્ષની સજા

મોરબીના માણેકવાડા ગામે સાસુ સસરાએ મેણા-ટોણા મારતા પરિણીતાએ વર્ષ ૨૦૧૬માં પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી સાસુ અને સસરાને પાંચ વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી છે

મોરબીના પીપળી ગામની તૃપ્તિબેનના લગ્ન વર્ષ ૨૦૧૫માં માણેકવાડા ગામના ઉમેશકુમાર અરજણભાઈ ગોધવિયા સાથે થયા હતા.જો કે, તૃપ્તિબેનના સાસુ લાભુબેન અરજણભાઈ ગોધવિયા અને સસરા અરજણભાઈ લવજીભાઈ ગોધવિયા તેને મેણાં-ટોણા મારતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેથી તૃપ્તિબેને તેના ભાઈ પ્રફુલભાઇ જગોદરા અને પરિવારને જાણ કરી હતી અને વર્ષ ૨૦૧૬ ના જૂન માહિનામાં તૃપ્તિબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી મૃતક તૃપ્તિબેનના ભાઈએ સાસુ-સસરા વિરુદ્ધ તૃપ્તિબેનને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી જે કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ સી.જી.મહેતા ની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આધાર પુરાવાઓ અને સાહેદોની જુબાની તથા દલીલને ધ્યાને લઈને મૃતકના સાસુ લાભુબેન અને સસરા અરજણભાઈને પાંચ વર્ષની સજા અને દંડ ફટકાર્યો  છે 






Latest News