મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના  રવાપર ગામે ઉમા હોલમાં કાલે રાતે નમો ડાયરો યોજશે


SHARE











મોરબીના  રવાપર ગામે ઉમા હોલમાં કાલે રાતે નમો ડાયરો યોજશે

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલું હોલ ખાતે તા. ૨૨ ના રોજ રાત્રે વાગ્યે નમો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં જે સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેના હોદેદારો દ્વારા પોતાની કલા રજૂ કરવામાં આવશે અને ખાસ કરીને કલાના હળવા માધ્યમથી સરકાર દ્વારા જે કામો કરવામાં આવ્યા છે તેને લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે

જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દ્વારા સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેમાં સંયોજક તરીકે દેવેનભાઇ વ્યાસને લેવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા સાંસ્કૃતિક સેલના સંયોજક દેવેનભાઇ વ્યાસે જણાવ્યું છે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જે છેલ્લા વર્ષની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કામગીરી કરવામાં આવી છે તેને જન જન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ નમો ડાયરમાં કરવામાં આવશે તા ૨૨ ના રોજ રાતે ૯ વાગ્યા રવાપર ગામે આવેલ ઉમા હોલમાં ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા નમો ડાયરાનું આયોજન કરવામાં આવે છે જેમાં કલાકારો દ્વારા જુદીજુદી કૃતિઓ રજુ કરવામાં આવશે અને સરકારે લીધેલા નિર્ણયોની ઝાંખી લોકો સુધી પહોચડવા માટે નમો ડાયરાના કલાકારો નિમિત બનશે






Latest News