મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતને પાણીનો ટાંકો બનાવવા સરકાર ૯.૮૦ લાખની સહાય આપી


SHARE











મોરબી જીલ્લામાં ખેડૂતને પાણીનો ટાંકો બનાવવા સરકાર ૯.૮૦ લાખની સહાય આપી

રાજ્યના ખેડૂતો ખેતીના પાકોનું વધુ ઉત્પાદન મેળવી શકે અને આર્થિક રીતે સમૃદ્ધ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના ખેડૂતોના ખેતરના પાકોને  અનિયમિત વરસાદના નુકશાનથી બચાવવા તેમજ પાણીના કરકસરપૂર્ણ ઉપયોગથી રાજ્યના પિયત હેઠળના વિસ્તારને વધારવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદનને વધારવા અને ખેડૂતોમાં સામાજિક સમરસતા વધારવાના હેતુથી પાણી માટે જૂથમાં/વ્યક્તિગત ટાંકા બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામમાં ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવાની યોજનાના લાભાર્થી રસુલભાઈ હબીબભાઈ વડાવિયા જણાવે છે કે, “ભૂગર્ભ પાણીના ટાંકાની મદદથી એક જ જગ્યાએથી મોટા વિસ્તારમાં પિયત આપી શકીએ છીએ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને વધુ વિસ્તારમાં પિયત પાકોનું વાવેતર કરી શકીએ છીએ. ભૂગર્ભ પાણીના ટાંકામાં પાણીનો સંગ્રહ કરવાથી પાણીનો બગાડ અટકાવી શકીએ છીએ અને ભૂગર્ભ પાણીના ટાંકાની મદદથી બોરના ગરમ પાણીને ઠંડુ કરી પિયત આપવાથી પાકને સારો ફાયદો થાય છે. આ સિવાય રાત્રે પિયત આપવાના બદલે બોર કે કૂવામાંથી પાણી લઈ પાણી ટાંકામાં એકઠું કરીને દિવસ દરમિયાન પણ પિયત આપી શકીએ છીએ. આ સહાય અંતર્ગત મને રૂ. ૧,૦૬,૫૭૫ ની સહાય મળી છે આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડુતે વ્યક્તિગત અથવા તો બે કે તેથી વધુ ખેડૂતોનું જુથ બનાવી પોતના જ ખેતરમાં પાણીનો ટાંકો બનાવવાનો રહે છે. જે માટે જે-તે ખેડૂતે I-Khedut પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહે છે. યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા ૭૫ ઘનમીટર અને વધુમાં વધુ ૧૦૦૦ ઘનમીટર ક્ષમતાવાળા આર.સી.સીના પાણીના ટાંકાનો સમાવેશ કરવાનો રહે છે. આ યોજના લાભ હેઠળ ખેડૂતને ખર્ચના ૫૦% અથવા રૂ.૯.૮૦ લાખ બે માંથી જે ઓછા હોય તે ચુકવવામાં આવે છે.






Latest News