મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર પાસેના ટોલનાકાનો કોન્ટ્રાક્ટ બદલીને આસપાસના ગામના વાહન ચાલકોને ડામ દેવાની પેરવી: માથાકૂટના એંધાણ


SHARE











વાંકાનેર પાસેના ટોલનાકાનો કોન્ટ્રાક્ટ બદલીને આસપાસના ગામના વાહન ચાલકોને ડામ દેવાની પેરવી: માથાકૂટના એંધાણ

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર વઘાસિયા ગામ પાસે ટોલ પ્લાઝા આવેલ છે અને છેલ્લા ૧૫ વર્ષથી ટોલનાકાનું સંચાલન કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે તેને બદલીને હવે બીજા કોન્ટ્રાક્ટને કામ પીને ટોલ પ્લાઝા આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી પણ હવે ટેક્ષ લેવા માટેની પેરવી કરવામાં આવી રહી છે ત્યારે જો એજન્સીની બદલીને આસપાસના ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ લેવાનું શરૂ કરવામાં આવશે તો મોટી માથાકૂટ થવાના એંધાણ છે.

છેલ્લા પંદર વર્ષથી વઘાસિયા ગામના અને વાંકાનેર તાલુકા કરણી સેના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ઝાલા ટોલ પ્લાઝાનું સંચાલન કરતા હતા જેથી આસપાસના ગામના વાહન ચાલકો માટે કોઈ ટેક્ષ લેવામાં આવતો નથી અને સૌથી મોટી વાતે છે કે કોઈ વિવાદ નથી અને સારી રીતે કામ ચાલી રહ્યું છે તો પણ નવી એજન્સીને કામ આપીને પંદર વર્ષથી નિર્વિવાદિત કામ કરનારા રાજેન્દ્રસિંહ ઝાલાની બદલે બીજાને કામ આપવામાં આવશે તો નવાજૂની થવાની શક્યતા છે કેમ કે, ટોલ પ્લાઝાની આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી પણ ટેક્સ વસુલવા માટે એજન્સી બદલાવવાની પેરવી કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતની ગંધ ગામના લોકોને આવી ગયેલ છે અને ગામના વાહન ચળકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને જો એજન્સી બદલાશે કે પછી ટેક્સ લેવાનુ શરૂ કરવામાં આવશે તો ટોલનાકા ઉપર ભવિષ્યમાં મોટી માથાકૂટ થશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે જેથી કરીને જે કંપની દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવે તે પહેલા હાલમાં જે એજન્સી દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે તેની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે તે પણ જરૂરી છે






Latest News