મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાનાં ૧૫ થી વધુ ગામોને પાણી પહોચડવા પાણીચોરી બંધ કરાવો: કેબિનેટ મંત્રીનો આદેશ


SHARE











માળીયા (મી) તાલુકાનાં ૧૫ થી વધુ ગામોને પાણી પહોચડવા પાણીચોરી બંધ કરાવો: કેબિનેટ મંત્રીનો આદેશ

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ૧૫ થી વધુ ગામમાં પીવાના પાણીની સમસ્યા હોય આજે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ માળીયા તાલુકાના ગામની મુલાકાત લીધી હતી અને ત્યાં સ્થાનિક લોકો ની રજૂઆતો સાંભળ્યા બાદ પીવાના પાણીની લાઈન માંથી લેવામાં આવેલા ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવા માટે આદેશ કર્યો છે તેની સાથોસાથ જે ગામમાં પાણી નથી પહોંચતું ત્યાં તાત્કાલિક અસરથી ટેન્કર શરૂ કરીને લોકોને પીવાનું પાણી સમયસર પહોંચાડવા માટે સૂચના આપેલ છે

મોરબી જિલ્લાના પાંચ તાલુકા પૈકીના માળિયા મીયાણા તાલુકાના ૧૫ જેટલા ગામમાં પીવાના પાણીની લાઈન ગામ સુધી પહોંચી ગઇ છે પરંતુ ગામના લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોય અથવા તો અનિયમિત મળતું હોય તેવી ઘણી બધી ફરિયાદો મળતી હોય જેથી કરીને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે મોરબી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યારે માળિયા મીયાણા તાલુકામાં આવતા વવાણીયા ગામે રામબાઈ માતાજીના મંદિર ખાતે સ્થાનિક જુદા જુદા ગામના આગેવાનો અને મહિલાઓ સહિતનાઓની રજૂઆત સાંભળી હતી ત્યારે વવાણીય, બોડકીમોટા દહીસરા સહિતના લગભગ 15 થી વધુ ગામમાં નિયમિત રીતે પીવાનું પાણી લોકોને ન મળતું હોય તેવી સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીને ખાસ સુચના આપીને જે ગામમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં અને સમયસર મળતું નથી ત્યાં સુધી પહોંચતી પીવાના પાણીની લાઈનમાંથી લેવામાં આવેલા ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવા માટે થઈને આદેશ કર્યો છે

આટલું જ નહીં જો ગેરકાયદેસર કનેક્શન લેનારા કામગીરીમાં સહકાર ન આપે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે પણ સૂચના આપેલ છે તેમજ જે ગામમાં પીવાના પાણીની વધુ સમસ્યા હોય ત્યાં ગામના લોકોને પીવાના પાણી માટે હેરાન થવું ન પડે તે માટે તાત્કાલિક અસરથી મંજૂરીની અપેક્ષા સાથે પાણીના ટેન્કર મંગળવારથી જ દોડાવવાનું શરૂ કરી દેવા માટે થઈને સૂચના આપવામાં આવેલ છે અને માળિયા અને હળવદ તાલુકામા મીઠાના આગરમાં કામ કરતા અગરિયાઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે થઈને ખાસ યોજના અમલમાં મૂકવામાં આવશે તેવું પણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે અને તાત્કાલિક અસરથી આ યોજના માટેના કામને હાથ પર લેવા માટે અધિકારીને ભાર પૂર્વક કરવામાં આવ્યું છે આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જયુભા જાડેજા અને બાબુભાઇ હુંબલ તેમજ જેઠાભાઇ મિયાત્રા, તપનભાઈ દવે, મણિભાઈ સરડવા, ગોપાલભાઈ સરડવા તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News