મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાનાં ૧૫ થી વધુ ગામોને પાણી પહોચડવા પાણીચોરી બંધ કરાવો: કેબિનેટ મંત્રીનો આદેશ


SHARE











માળીયા (મી) તાલુકાનાં ૧૫ થી વધુ ગામોને પાણી પહોચડવા પાણીચોરી બંધ કરાવો: કેબિનેટ મંત્રીનો આદેશ

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ૧૫ થી વધુ ગામમાં પીવાના પાણીની સમસ્યા હોય આજે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ માળીયા તાલુકાના ગામની મુલાકાત લીધી હતી અને ત્યાં સ્થાનિક લોકો ની રજૂઆતો સાંભળ્યા બાદ પીવાના પાણીની લાઈન માંથી લેવામાં આવેલા ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવા માટે આદેશ કર્યો છે તેની સાથોસાથ જે ગામમાં પાણી નથી પહોંચતું ત્યાં તાત્કાલિક અસરથી ટેન્કર શરૂ કરીને લોકોને પીવાનું પાણી સમયસર પહોંચાડવા માટે સૂચના આપેલ છે

મોરબી જિલ્લાના પાંચ તાલુકા પૈકીના માળિયા મીયાણા તાલુકાના ૧૫ જેટલા ગામમાં પીવાના પાણીની લાઈન ગામ સુધી પહોંચી ગઇ છે પરંતુ ગામના લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોય અથવા તો અનિયમિત મળતું હોય તેવી ઘણી બધી ફરિયાદો મળતી હોય જેથી કરીને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે મોરબી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યારે માળિયા મીયાણા તાલુકામાં આવતા વવાણીયા ગામે રામબાઈ માતાજીના મંદિર ખાતે સ્થાનિક જુદા જુદા ગામના આગેવાનો અને મહિલાઓ સહિતનાઓની રજૂઆત સાંભળી હતી ત્યારે વવાણીય, બોડકીમોટા દહીસરા સહિતના લગભગ 15 થી વધુ ગામમાં નિયમિત રીતે પીવાનું પાણી લોકોને ન મળતું હોય તેવી સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીને ખાસ સુચના આપીને જે ગામમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં અને સમયસર મળતું નથી ત્યાં સુધી પહોંચતી પીવાના પાણીની લાઈનમાંથી લેવામાં આવેલા ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવા માટે થઈને આદેશ કર્યો છે

આટલું જ નહીં જો ગેરકાયદેસર કનેક્શન લેનારા કામગીરીમાં સહકાર ન આપે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે પણ સૂચના આપેલ છે તેમજ જે ગામમાં પીવાના પાણીની વધુ સમસ્યા હોય ત્યાં ગામના લોકોને પીવાના પાણી માટે હેરાન થવું ન પડે તે માટે તાત્કાલિક અસરથી મંજૂરીની અપેક્ષા સાથે પાણીના ટેન્કર મંગળવારથી જ દોડાવવાનું શરૂ કરી દેવા માટે થઈને સૂચના આપવામાં આવેલ છે અને માળિયા અને હળવદ તાલુકામા મીઠાના આગરમાં કામ કરતા અગરિયાઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે થઈને ખાસ યોજના અમલમાં મૂકવામાં આવશે તેવું પણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે અને તાત્કાલિક અસરથી આ યોજના માટેના કામને હાથ પર લેવા માટે અધિકારીને ભાર પૂર્વક કરવામાં આવ્યું છે આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જયુભા જાડેજા અને બાબુભાઇ હુંબલ તેમજ જેઠાભાઇ મિયાત્રા, તપનભાઈ દવે, મણિભાઈ સરડવા, ગોપાલભાઈ સરડવા તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા




Latest News