મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર નજીક મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો, બાઈકની લૂંટ


SHARE







વાંકાનેરના સિંધાવદર નજીક મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો, બાઈકની લૂંટ

વાંકાનેર તાલુકાના સિંધાવદરથી ગાત્રાળનગર નજીક આવેલ સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ પાસેના કાચા રસ્તા ઉપર જૂના મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સો દ્વારા ગાળો આપીને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને તેના બાઈકની લૂંટ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવમાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે સમર્પણ આશ્રમની બાજુમાં રહેતા નીતિનભાઈ રતિલાલ પરમાર જાતે કડિયા (૩૭)એ મૂળ ગોંડલના રહેવાસી અને હાલ સિંધાવદર સમર્પણ આશ્રમ ખાતે રહેતા અમર વાળા અને ત્રણ અજાણ્યા શખ્સ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અમર વાળા સાથે અગાઉ થયેલ મનદુઃખનો ખાર રાખીને તેણે બહારથી ત્રણ માણસો બોલાવ્યા હતા અને તે અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા તેને ગાળો આપીને ઢીકાપાટુનો તથા લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ તેના બાઈક નંબર જીજે ૩૬ એમ ૧૨૩૩ જેની કિંમત ૨૦૦૦૦ રૂપિયા ના બાઈકની લૂંટ કરવામાં આવેલ છે અને આરોપીઓ નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે અમર વાળા સહિત કુલ ચાર શખ્સોની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News