મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

નવલખી પોર્ટ શરૂ: કોલસાના પરિવહન માટે ટ્રકના ત્રણ કિલોમીટર સુધી થપ્પા લાગ્યા


SHARE











નવલખી પોર્ટ શરૂ: કોલસાના પરિવહન માટે ટ્રકના ત્રણ કિલોમીટર સુધી થપ્પા લાગ્યા

વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને નવલખી પોર્ટને સદંતર બંધ કરી દેવામાં આવ્યું હતું જોકે હવે વાવાઝોડું પસાર થઈ ગયું છે અને નવલખી બંદર ઉપર તેની બહુ મોટી કોઈ અસર જોવા મળી નથી ત્યારે શનિવારે સાંજથી નવલખી બંદર ઉપર રાબેતા મુજબની કામગીરી પોર્ટ ઓફિસરની સૂચના પછી શરૂ કરી દેવામાં આવી છે જેથી કરીને નવલખી બંદરે આવતા કોલસાને દેશના જુદા જુદા રાજ્ય સુધી પહોંચાડવા માટે દોડતા ટ્રકો ના નવલખી બંદર પાસે થપ્પા લાગી ગયા હતા અને પાંચ કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હતી

બીપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અથડાય અને મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થાય તેવી શક્યતાઓ હતી જેથી કરીને મોરબી જિલ્લામાં આવેલ નવલખી બંદરે ગત ૧૨ તારીખથી ૧૦ નંબરનો સિગ્નલ લગાવીને સદંતર બંધ કરી દેવામાં આવ્યું હતું અને આમ ગઈકાલે તારીખ ૧૬ ના રોજ દરિયામાં હાઈટાઇડ હતી ત્યારે બપોરના ૧૨ વાગ્યાથી બંદર ઉપરથી તમામ કર્મચારીઓ અને જુદી જુદી એજન્સીઓના સ્ટાફને સલામતીના ભાગરૂપે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારે નવલખી બંદરની જેટી ઉપર અને સમગ્ર બંદરમાં એક થી દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને નવલખી બંદર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો હતો જોકે ત્યારબાદ દરિયાના પાણી ઓસરી ગયા હતા અને હવે વાતાવરણ પણ ખુલ્લું થઈ ગયું છે અને વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે અથડાઈ ગયા બાદ નવલખી બંદર ઉપર તેની નહિવત અસર જોવા મળી છે જેથી કરીને મેરી ટાઈમ બોર્ડના પોર્ટ ઓફિસર તરફથી મળેલ સૂચના બાદ શનિવારે સાંજથી રાબેતા મુજબ નવલખી બંદર ઉપર કોલસાની હેરાફેરી માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે જેથી કરીને નવલખી પોર્ટના દરવાજાથી પાંચ કિલોમીટર સુધી ટ્રકોના થપ્પા લાગી ગયા હતા અને આજથી નવલખી બંદર ફરી પાછું રાબેતા મુજબ ધમધમ માં લાગ્યું છે




Latest News