મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના માજી ચેરમેન અને તેના દીકરાએ આધેડને માર માર્યો, ગુનો નોંધાયો


SHARE











મોરબી પાલિકાના માજી ચેરમેન અને તેના દીકરાએ આધેડને માર માર્યો, ગુનો નોંધાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી આગળના ભાગે જેલ ચોકની સામે આવેલ વિસ્તારમાં મકાન ઉપર પાણી છાંટતા સમયે પાણી ઉડે છે તેમ કહીને મહિલાએ બોલાચાલી કરી હતી અને આધેડને ગાળો આપી હતી અને ત્યારબાદ મહીલાના દીકરાએ લોખંડના પાઇપ વડે આધેડને માર મારીને ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે હાલમાં મોરબી પાલીકાના માજી ચેરમેન તેમજ તેમના દિકરાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાતા હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેલચોકની સામેના વિસ્તારમાં રહેતા મનોજભાઈ નાનજીભાઈ ગોહેલ (ઉમર ૫૦) એ હાલમાં એડિવિઝન ખાતે ભાનુબેન ચંદુભાઈ નગેવાડીયા અને મૌલિક ચંદુભાઈ નગેવાડીયા રહે. બંને જેલચોક સામે મોરબી વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, ફરિયાદી મનોજભાઇનું મકાનનું બાંધકામ ચાલુ હોય પોતે પોતાના મકાનમાં પાણી છાંટતા હતા ત્યારે પાડોસમાં રહતા આરોપીઓએ પાણી ઉડે છે તેમ કહીને પહેલા ભાનુબેન નગેવાડીયાએ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેમના દિકરા મૌલિક નગેવાડીયાએ લોખંડના પાઇપ વડે મનોજભાઇને માથા અને શરીરે માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા આધેડને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં મનોજભાઇએ પાલીકાના માજી ચેરમેન ભાનુબેન નગેવાડીયા અને તેના દીકરા મૌલિક નગેવાડીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે જેની આગળની તપાસ જયપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

ઈજાગ્રસ્ત બાળકી સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર સત્યમ હોલ પાસે રહેતા કાનજીભાઈ બાલુભાઈ ભીલની પાંચ વર્ષની દીકરી સંગીતાને વાહન અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે સંગીતા કાનજીભાઈ ભીલ નામની પાંચ વર્ષની બાળકી ભાભા ઘરઘંટીની નજીક રમતી હતી ત્યારે ત્યાં ગાડીવાળાએ તેને હડફેટે લેતા પગના ભાગે ઇજા થતાં સારવાર માટે ખસેડાઈ હતી હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના શનાળા-કંડલા બાયપાસ હાઈવે ઉપર શક્તિમાતાના મંદિર નજીક બન્યો હતો. જ્યાં બાઇક સ્લીપ થઈ જતા ઇજા પામેલા ભવ્ય વિજયભાઈ હાંસલીયા (ઉંમર ૧૨) રહે.ખજુરડા રાજકોટ વાળાને ઇજાઓ થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વૃદ્ધ સારવારમાં

મોરબીના ઝુલતાપુલ સામે દરબારગઢ નજીક રહેતા વણુંભાઈ ડોડીયાર નામના ૫૫ વર્ષના વૃદ્ધ સાયકલ લઈને આલાપ રોડ ઉપર સ્મશાન નજીકથી જતા હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા રીક્ષા ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવ અંગે એ ડિવિઝનના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News